સોનાક્ષીનાં લગ્નનાં પ્લાનિંગ વિશે પિતા શત્રુધ્ન અજાણ

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
સોનાક્ષીનાં લગ્નનાં પ્લાનિંગ વિશે પિતા શત્રુધ્ન અજાણ 1 - image


- આજકાલ સંતાનો અંગત બાબતોમાં મંજૂરી લેતાં નથી

- સોનાક્ષીએ મને જણાવ્યુ નથી, પરંતુ જ્યારે લગ્ન કરે ત્યારે મારા આશીર્વાદ હશે

મુંબઇ : સોનાક્ષી સિંહા  તેના બોયફ્રેન્ડ ઝાહિર ઇકબાલ સાથે ૨૩ જુનના રોજ લગ્ન કરવાની  હોવાના અહેવાલો છે. જોકે, સોનાક્ષીના પિતા શત્રુધ્ન સિંહાએ દાવો  કર્યો છે કે દીકરીનાં લગ્નનાં આયોજન વિશે પોતે અજાણ છે. 

શત્રુધ્નએ જણાવ્યું હતુ ંકે આજકાલ સંતાનો અંગત બાબતોમાં માતા પિતાની પૂર્વમંજૂરી લેતાં હોતાં નથી. સોનાક્ષીએ લગ્ન બાબતે મારી સાથે કોઈ વાત કરી નથી. પરંતુ, તે જ્યારે પણ લગ્ન કરશે ત્યારે મારા તેને આશીર્વાદ હશે. 

શત્રુએ કહ્યું હતું કે મને સોનાક્ષીનાં લગ્ન વિશે મીડિયા અહેવાલો થકી જ માહિતી મળી છે.  તે મને અને મારી પત્નીને પોતાના લગ્નના નિર્ણય વિશે જણાવશે ત્યારે અમે ચોક્કસ તેને આશીર્વાદ આપશું. તે સદાય ખુશ રહે એવું જ  અમે વિચારીએ છીએ. તે વયસ્ક હોવાથી પોતાના નિર્ણયો લેવાને તે સક્ષમ છે, તેના અંગત જીવનના નિર્ણયોમાં  અમે કોઈ દખલ કરતા નથી. 

સોનાક્ષી તા. ૨૩મીએ મુંબઈમાં એક રેસ્ટોરાંમાં લગ્ન કરી રહી હોવાના અહેવાલો છે. સવારે લગ્ન વિધિ યોજાશે જ્યારે સાંજે રિસેપ્શન યોજાશે. તેના અંગત મિત્રો આ લગ્નમાં હાજર રહેશે એમ કહેવાય છે. 

જોકે, આ અહેવાલો બાબતે ખુદ સોનાક્ષીએ હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરી નથી. 


Google NewsGoogle News