રજનીકાન્તની ફિલ્મમાં કેમિયો કરવાનો શાહરૂખનો ઈનકાર

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
રજનીકાન્તની ફિલ્મમાં કેમિયો  કરવાનો શાહરૂખનો ઈનકાર 1 - image


કેમિયો નહીં લીડ રોલ જ કરવાનો નિયમ

'થલાઈવાર 171'ના નિર્માતાઓએ હવે રણવીરનો સંપર્ક સાધ્યો

મુંબઈ: શાહરુખ  ખાને રજનીકાન્તની ફિલ્મ 'થલાઈવાર ૧૭૧'માં કેમિયો કરવાનો ઈનકાર કરી દીધો છે. શાહરુખે એવું બહાનું આપ્યું છે કે પોતે હવે કોઈ ફિલ્મમા ંકેમિયો નહીં કરવાનું અને માત્ર લીડ રોલ જ કરવાનું નક્કી કર્યું છે. 

બોલીવૂડની  ફિલ્મમાં સાઉથના સ્ટાર તથા સાઉથની ફિલ્મમાં બોલીવૂડના સ્ટાર કેમિયો કરે તેવો ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયથી ચાલ્યો છે. તેને ધ્યાને રાખી ફિલ્મ સર્જક લોકેશ કનગરાજે શાહરુખનો સંપર્ક કર્યો હતો. શાહરુખ અને રજનીકાન્ત એક ફિલ્મમાં એક ફ્રેમમાં સાથે આવે તો માત્ર ભારત જ નહીં પરંતુ ઓવરસીઝ માર્કેટમાં પણ ફિલ્મની વેલ્યૂ અનેકગણી વધી જાય તેમ છે. જોકે, શાહરુખે આ ઓફર નકારી કાઢી છે. શાહરુખ આ પહેલાં સલમાન ખાનની 'ટાઈગર થ્રી' સહિતની ફિલ્મોમાં કેમિયો કરી ચૂક્યો છે. જોકે, શાહરુખના દાવા અનુસાર પોતે હવે કોઈ ફિલ્મમાં સંબંધ ખાતર કેમિયો નહીં કરવાનું નક્કી કર્યું છે. 

બોલીવૂડના વર્તુળોના જણાવ્યા અનુસાર વાસ્તવમાં શાહરુખ કોઈ ફિલ્મમાં રજનીકાન્ત જેવા મોટા ગજાના સ્ટાર સાથે પોતે માત્ર કેમિયો કરી પોતાની સ્ટાર વેલ્યૂ ઘટે તેવું ઈચ્છતો ન હોવાથી તેણે ઈનકાર કર્યો છે. બાકી, તે પોતાની દીકરીની આગામી ફિલ્મમાં કેમિયો કરી જ રહ્યો છે. લોકેશ કનગરાજે હવે આ કેમિયો માટે રણવીરનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. જોકે, રણવીરે કોઈ જવાબ આપ્યો છે કે કેમ તે જાણી શકાયું નથી. 


Google NewsGoogle News