શાહિદ કપૂર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવશે

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
શાહિદ કપૂર છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવશે 1 - image


ઓમેજી-ટુના અમિત રાય ફિલ્મ બનાવશે

વિકી કૌશલની છત્રપતિ સંભાજી મહારાજ પરની ફિલ્મ પણ આ વર્ષે આવશે

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ પર બની રહેલી ફિલ્મમાં શાહિદ કપૂરને મુખ્ય ભૂમિકા ઓફર કરવામાં આવી છે. શાહિદ આ ફિલ્મ માટે સંમત થઈ ચૂક્યો હોવાનું કહેવાય છે. 

ઓએમજી ટૂના ડાયરેક્ટર અમિત રાય આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેમના સહિત ફિલ્મના અન્ય નિર્માતાઓને શાહિદ આ ભૂમિકા માટે યોગ્ય લાગ્યો છે. આ ફિલ્મના ટાઈટલ તથા અન્ય કલાકારો વિશે હજુ કોઈ વિગત ઉપલબ્ધ થઈ નથી.

 અગાઉ, શાહિદ કપૂર સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'પદ્માવત'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષના અંતમાં વિકી કૌશલની 'છાવા' પણ રીલીઝ થવાની છે. તેમાં વિકી કૌશલ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના તેની સહકલાકાર છે.



Google NewsGoogle News