રાતે 2 વાગ્યે ન્હાવું, વર્કઆઉટ.. કિંગ ખાને ડાયેટ પ્લાન સાથે તેની હેલ્થના રહસ્યો પણ જાહેર કર્યા!

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
રાતે 2 વાગ્યે ન્હાવું, વર્કઆઉટ.. કિંગ ખાને ડાયેટ પ્લાન સાથે તેની હેલ્થના રહસ્યો પણ જાહેર કર્યા! 1 - image
Image Social Media

Shah Rukh Khan:  બોલિવૂડનો કિંગ ખાન આજકાલ અલગ જ લુકમાં જોવા મળી રહ્યો છે. જેમાં તે લાંબા વાળ સાથે એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. શાહરૂખ ખાનના ફોલોઅર્સ તેના દરેક લુકને ફોલો કરવાની કોશિશ કરે છે. જે લોકો શાહરૂખ વિશે જાણવા માંગે છે, તેમના માટે એક ઈન્ટરવ્યુમાં શાહરુખે પોતાના ડાયટ પ્લાન વિશે વાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, તે દિવસમાં માત્ર એક જ ટાઈમ ભોજન લે છે. હવે પ્રશ્ન એ થાય છે કે, શું તેઓ ઉપવાસ કરે છે?

દિવસમાં એકવાર ખાવાનું છે સ્વાસ્થ્યનું રહસ્ય?

અભિનેતા શાહરૂખ ખાનનું મોડી રાત સુધી જાગવું એ હકીકત છે, જે વિશે તેના પ્રંશસકો સારી રીતે જાણે છે. શાહરૂખ વિશે એવું કહેવાય છે, કે તે આખી રાત જાગે છે અને સવારે સૂઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, શાહરુખ ખાન આજકાલ માત્ર એક જ વાર ખાય છે, તેમજ તે ક્યારેય જીમ છોડતો નથી, ભલે પછી તેને થોડા સમય માટે વર્કઆઉટ કરવું પડતુ હોય ? હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં શાહરૂખે પોતાની દિનચર્યા વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે "તે દિવસમાં માત્ર એક જ વાર ખોરાક લે છે, એટલા માટે નહીં કે તે ક્યારેક ક્યારેક ઉપવાસ કરે છે. જોકે, આ તેની વ્યક્તિગત પસંદગી છે."

દરેક પરિસ્થિતિમાં વર્કઆઉટ જરૂરી છે

શાહરૂખે જણાવ્યું કે, તે ક્યારેય જીમ છોડતો નથી. મોડી રાત સુધી જાગવા અંગે તેમણે કહ્યું કે, "હું સવારે પાંચ વાગ્યે સુઈ જાઉં છું અને પછી જો હું શૂટિંગ કરતો હોઉં છું તેથી 9 કે 10 વાગ્યે જાગી જાઉં છું. જ્યારે હું રાત્રે 2 વાગ્યે શૂટિંગ કરીને ઘરે પાછો આવું છું, ત્યારે હું સ્નાન કરું છું અને પછી સૂતા પહેલા વર્કઆઉટ કરું છું." આના પરથી સ્પષ્ટ થાય છે, કે ઘરે પાછા ફરવામાં ગમે તેટલું મોડું થાય, કિંગ ખાન ક્યારેય તેની વર્કઆઉટ ચૂકતો નથી.


Google NewsGoogle News