સંજય લીલા ભણશાલી સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર સાથે ફિલ્મ બનાવશે
- આ એક લવ સ્ટોરી હોવાથી તેઓ રોમાન્સ કરતા જોવા મળશે
મુંબઇ: થોડા દિવસો પહેલા જ સમાચાર હતા કે, સંજયલીલા ભણશાલી શાહિદ કપૂર સાથે એક ફિલ્મ માટે વાતચીત કરી રહ્યો છે. હવે ભણશાલીને લઇને અપડેટ છે કે, તેણે પોતાની આગામી લવસ્ટોરી આધારિત ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની જોડી લીધી છે.
સોશયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, સંજય લીલા ભણશાલીએ પોતાના આગામી પ્રોજેક્ટમાં સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરને લીધા છે. જોકે આ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી પ્રાપ્ત થઇ નથી.
પરંતુ કહેવાય છે કે, આ એક રોમાન્સ ડ્રામા હશે જેમાં બે યુવાનિયાઓ પ્રણયના ફાગ ખેલતા જોવા મળશે.
નિર્માતા ભણશાલીએ આ ફિલ્મ માટે રવિ ઉધયવારને ડાયરેકટરની કમાન સોંપી છે. આ ફિલ્મનું શૂટિંગ સિદ્ધાર્થ અને મૃણાલ ૨૦૨૪ની શરૂઆતમાં કરશે.