Get The App

સંજય લીલા ભણશાળીએ 'લવ એન્ડ વોર'ની ઘોષણા કરી

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
સંજય  લીલા ભણશાળીએ 'લવ એન્ડ વોર'ની ઘોષણા કરી 1 - image


- રાજ કપૂરની સંગમની રિમેક હોવાની અટકળો

- રાજ, રાજેન્દ્ર અને વૈજયંતીની ભૂમિકામાં રણબીર, વિકી અને આલિયા

મુંબઇ : સંજય લીલા ભણશાળીએ રણબીર કપૂર, આલિયા ભટ્ટ તથા વિકી કૌશલની ત્રિપુટી ધરાવતી ફિલ્મ 'લવ એન્ડ વોર'ની સત્તાવાર જાહેરાત કરી છે. 

આ ફિલ્મ માટે હાલ આવતાં વર્ષની પચ્ચીસમી ડિસેમ્બરની રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. 

બોલીવૂડ વર્તુળોમાં  ચર્ચા અનુસાર આ ફિલ્મ લવ ટ્રાએંગલ હશે. એક દાવા અનુસાર આ ફિલ્મ રાજ કપૂરની ક્લાસિક ફિલ્મ 'સંગમ'ની રિમેક હોવાની સંભાવના છે. તેમાં રણબીર કપૂર તેના દાદા રાજ કપૂરની ભૂમિકામાં, વિકી કૌશલ રાજેન્દ્ર કુમારની ભૂમિકામાં અને આલિયા ભટ્ટ વૈજયંતી માલાની ભૂમિકામાં જોવા મળી શકે છે. 

જોકે, સંજય લીલા ભણશાળી જૂની કથાઓ કે ક્લાસિક ફિલ્મોની સ્ટોરીમાં ધાર્યા ફેરફારો કરવા માટે જાણીતા છે. તે અનુસાર તેઓ 'સંગમ'ની સ્ટોરી સીધેસીધી રિપિટ કરવાને બદલે અનેક ફેરફારો કરી શકે છે. અગાઉ સંજય લીલા ભણશાળીએ અનિલ કપૂર , પદ્મિની કોલ્હાપુરે તથા નસીરુદ્દિન શાહની 'વોહ સાત દિન' પરથી સલમાન ખાન, અજય દેવગણ અને ઐશ્વર્યાને લઈને 'હમ દિલ દે ચુકે સનમ ' બનાવી હતી ત્યારે તેમાં અનેક ફેરફારો  કર્યા હતા. એ જ રીતે 'દેવદાસ'ની મૂળ સ્ટોરીમાં પણ સંજય લીલા ભણશાળીએ અનેક છૂટ લીધી હતી. 

સંજય લીલા ભણશાળીએ 'બૈજુ બાવરા'નો પ્રોજેક્ટ બજેટના અભાવે અભેરાઈએ ચડાવી દીધો છે. તે પછી તેઓ એક મોડર્ન લવ સ્ટોરી બનાવવાના હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. 


Google NewsGoogle News