સંજય દત્ત અને અભિષેક મોગલ રાજાઓની ભૂમિકા ભજવશે
- રિતેશ દેશમુખ ફિલ્મનો દિગ્દર્શક
- શિવાજી મહારાજ પરની ફિલ્મમાં ફરદીન ખાનને પણ રોલ મળ્યો
મુંબઇ : રિતેશ દેશમુખ હાલ શિવાજી મહારાજ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રિતેશ દેશમુખ આ ફિલ્મના દિગ્દર્શનની સાથેસાથે છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં પણ જોવા મળવાનો છે. આ ફિલ્મ મરાઠી અને હિંદી એમ બે ભાષામાં રિલીઝ કરવામા ંઆવશે. સંજય દત્ત અને અભિષેક બચ્ચન મોગલ રાજાઓના પાત્રમાં જોવા મળવાના છે. જ્યારે ફરદીન ખાન પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં હશે.
હાલ આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મનું નિર્માણ જ્યોતિ દેશપાંડે તેમજ રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસોઝા કરી રહી છે.