સામંથારૂથ પ્રભુ પોતાની બીમારીની સારવારના રૂપે થેરપી લઇ રહી છે

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
સામંથારૂથ પ્રભુ પોતાની બીમારીની સારવારના રૂપે થેરપી લઇ રહી છે 1 - image


- અભિનેત્રીએ બરફના પાણીમાં ઊભા રહેવું પડતું હોવાની તસવીર વાયરલ કરી

મુંબઇ : સામંથા રૂથપ્રભુ હાલપોતાની બીમારીના કારણે  બ્રેક લીધો છે. તે માયોસિટિસ નામની એક બીમારીથી પીડાઇ રહી છે. હાલ તે આ બીમારીની સારવાર રૂપે એક  ક્રાયોથેરપી લઇ રહી છે.જેમાં તેને બરફના પાણીમાં એટલે કે શરીરને ઠંડા તાપમાનમાં રાખવું પડે છે. સામંથાએ આ થેરપી લેતો એક વીડિયો વાયરલ કર્યો છે. 

સામંથાએ  પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પરશેર કરતાં કેપ્શન આપ્યું છે, રિકવરી. તેણે આ ક્રાયોથેરપી વિશે જણાવ્યું છેકે, આ થેરપી ઇમ્યુનિટી પાવરને વધારે છે, રક્ત સંચારમાં સુધારો કરે છે, હોર્મોનને ટ્રિગર કરે છે. 

ઉલ્લેખનીય છે કે,પોતાની બન્ને ફિલ્મો એનિલમ અને ફાઇટર માટે  બોડી ટ્રાન્સફોર્મેશન કર્યુ ંહતું. તેથી તેણે પણ  થોડા મહિનાઓ પહેલા અનિલ કપૂરે ક્રાયોથેરપી લેતો હોવાની તસવીર શેર કરી હતી. 

સામંથાનું પરતિ નાગા ચૈતન્ય સાથે સુલેહ થઇ ગઇ હોવાની અટકળો થઇ રહી છે.નાગા ચૈતન્યે એક તસવીર શેર કરી છે જેમાં તેમનો ડોગ હૈશ એક કારમાં   ચૈતન્યના ખોળામાં બેઠેલો જોવા મળે છે. આ એજ ડોગ છે જેને સામંથાએ લગ્ન પછી એડોપ્ટ કર્યો હતો. તેથી લોકો માની રહ્યા છે કે, આ યુગલ ફરી એક થઇ જશે. 


Google NewsGoogle News