સાઈ પલ્લવીએ હૃદયસ્પર્શી સોશિયલ મીડિયા પોસ્ટમાં લગ્નની અફવા ફગાવી
તાજેતરમાં દિગ્દર્શક રાજકુમાર પેરીયાસામી સાથે વિખ્યાત અભિનેત્રી સાઈ પલ્લવીની તસવીર વાયરલ થઈ હતી. આ તસવીરમાં બંને સેલિબ્રિટીએ ગળામાં લાલ રંગના હાર પહેર્યા હતા જેના કારણે બંનેના ગુપચુપ લગ્ન થઈ ચુક્યા હોવાની અફવાને વેગ મળ્યો હતો.
જો કે સાઈ પલ્લવીએ તુરંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લઈને વાયરલ થયેલી આ ખબરને ફગાવી દીધી હતી.
પોતાની પોસ્ટમાં અભિનેત્રીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા લખ્યું કે હકીકતમાં હું અફવાઓને મહત્વ નથી આપતી પણ જ્યારે તેમાં પરિવાર જેવા મિત્રો સામેલ હોય ત્યારે ખુલાસો કરવો જરૂરી થઈ પડે છે. મારી ફિલ્મની પૂજા સમારંભમાંથી મળેલી તસવીરને મોર્ફ કરીને વાયરલ કરવામાં આવી હતી. જ્યારે મારે ર્માા કાર્ય બાબતે સારા સમાચાર આપવાના હોય ત્યારે આવી અફવા વિશે સ્પષ્ટતા કરવી પડે તે અફસોસજનક છે. કોઈને પરેશાન કરવા તે ખરેખર ખરાબ બાબત છે.
અગાઉ રાજકુમાર પેરિયાસામીએ સાઈ પલ્લવીના જન્મદિવસ પર યોજાયેલી પૂજાની અનેક તસવીરો શેર કરી હતી જેમાં તેણે સાઈ પલ્લવીને શુભેચ્છા આપી હતી. તેમાં તેણે લખ્યું હતું કે તું સૌથી શ્રેષ્ઠ છે અને તારી સફરમાં તારી સાથે હોવાનો મને ગર્વ છે.
કાર્ય ક્ષેત્રે પલ્લવીએ તાજેતરમાં નાગા ચૈતન્ય સાથે અલુ અરવિંદ દ્વારા નિર્મિત અને ચંદુ મોન્ડેટી દ્વારા દિગ્દર્શિત તેલુગુ ફિલ્મ સાઈન કરી છે.