એશા દેઓલ અને પતિ ભરત તખ્તાની વચ્ચે અણબનાવની અફવા

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
એશા દેઓલ અને પતિ ભરત તખ્તાની વચ્ચે અણબનાવની અફવા 1 - image


- એશા કેટલાય સમયથી બધે એકલી દેખાય છે

મુંબઇ : ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી એશા દેઓલના લગ્નજીવનમાં કડવાશ સર્જાઈ છે અને તે કેટલાય સમયથી તેના પતિથી વિખૂટી રહે છે તેવી અફવા ફેલાઈ છે. 

ભરત તખ્તાનીના લગ્નેતર સંબંધના કારણે એશા નારાજ હોવાનું કહેવાય છે. તે કેટલાય સમયથી એકલી જ દેખાય છે. તાજેતરમાં હેમા માલિનીના જન્મદિનની પાર્ટીમાં પણ ભરતની ગેરહાજરી ઊડીને આંખે વળગી હતી. આમિરની દીકરી આયરાના રિસેપ્શનમાં પણ એશા તેની માતા સાથે જ જોવા મળી હતી. છેલ્લા કેટલાય સમયથી એશાએ પતિ સાથે કોઈ ફોટો પણ શેર કર્યો નથી. 

એશાએ તાજેતરમાં એવા મતબલની સોશિયલ  મીડિયા પોસ્ટ કરી હતી કે કેટલીકવાર તમારે ઘણું બધું જતું કરવું પડે છે. 

જોકે, એશા અને ભરત છૂટાછેડા લેવાના હોવાની અટકળોને નકારવામાં આવી રહી છે. તેમના વચ્ચે કદાચ ખટરાગ થયો હોઈ શકે છે પરંતુ વાત હજુ છૂટાછેડા સુધી પહોંચી નથી તેવો દાવો કેટલાક અહેવાલોમાં કરવામાં આવ્યો છે. 


Google NewsGoogle News