મૃણાલ ઠાકુર સાઉથના સ્ટાર સાથે લગ્ન કરે તેવી અફવા

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
મૃણાલ ઠાકુર સાઉથના સ્ટાર સાથે લગ્ન કરે તેવી અફવા 1 - image


- નિર્માતા અલ્લુ અરવિંદે પેપર ફોડયું

- અલ્લુ અરવિંદ લાવણ્યા ત્રિપાઠીના કેસમાં સાચા પડયા છેઃ મૃણાલે મૌન સેવ્યું 

મુંબઇ : મૃણાલ ઠાકુર સાઉથના એક સ્ટાર સાથે ટૂંક સમયમાં લગ્ન કરી લે તેવી સંભાવના છે. સાઉથના ટોચના નિર્માતા અલ્લુ અરવિંદે આ અંગેનો સંકેત આપ્યો છે. 

વાસ્તવમાં અલ્લુ અરવિંદે એક એવોર્ડ સમારંભમાં મૃણાલને લગ્ન કરી હૈદરાબાદ સ્થાયી થવા માટે શુભેચ્છા આપી હતી. તે પછી એવું ચચાઈ રહ્યું છે કે મૃણાલ સાઉથના એક સ્ટાર સાથે સિરિયલ રિલેશનશિપમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરી લેશે. 

અલ્લુ અરવિંદના સંકેતને નોંધપાત્ર માનવામાં આવે ચે કારણ કે અગાઉ તેમણે આ રીતે જ લાવણ્યા ત્રિપાઠીને પણ જાહેરમાં આ પ્રકારની શુભેચ્છા આપી હતી અને ટૂંક સમયમાં જ લાવણ્યાએ તેલુગુ અભિનેતા વરુણ તેજ સાથે લગ્ન કરી લીધાં હતાં. 

અલ્લુ અરવિંદે હવે મૃણાલ ઠાકુરનાં સંબંધોનું પેપર પણ ફોડી નાખ્યું હોવાનું કહેવાય છે. જોકે, મૃણાલ ઠાકુરે આ વિશે મૌન સેવી રાખ્યું છે. 

મૃણાલ ઠાકૂર બોલીવૂડ તથા સાઉથ બંનેમાં સક્રિય છે. 'સીતારામન' ફિલ્મ પછી ભારતભરમાં તેની લોકપ્રિયતા વધી છે. 


Google NewsGoogle News