રાક્ષસ ફિલ્મ પડતી મૂકાઈ હોવાની રણવીરની ખુદની જાહેરાત
- ફિલ્મ દિગ્દર્શક પ્રશાંત સાથે મતભેદોનું પરિણામ
- જોકે, રણવીર અને પ્રશાંતે કડવાશ ભૂલી ભવિષ્યમાં સાથે કામ કરવાની વાત પણ ઉચ્ચારી
મુંબઇ : રણવીર સિંહની 'રાક્ષસ' ફિલ્મ પડતી મૂકાયાની અટકળોને હવે ખુદ રણવીરે સમર્થન આપ્યું છે. તેણે તથા ફિલ્મ દિગ્દર્શક પ્રશાંત વર્મા અને ફિલ્મની નિર્માણ કંપનીએ આ અંગેની સંયુક્ત ઘોષણા કરી છે.
રણવીરે આ ફિલ્મ માટે હૈદરાબાદમાં ત્રણ દિવસનું શૂટિંગ કર્યું હતું. તે શૂટિંગ બાદ બહુ સારા મૂડમાં હૈદરાબાદથી રવાના થયો હતો. જોકે, મુંબઈ પહોચ્યા બાદ તેની ટીમે પ્રશાંતને જાણ કરી દીધી હતી કે હવે રણવીર આ ફિલ્મ કરવાનો નથી.
પ્રશાંત આ નિર્ણયથી ભારે નારાજ થયો હતો. સાઉથમાં આ રીતે કામ થતું નથી તેમ કહી તેણે બળાપો ઠાલવ્યો હતો.
ફિલ્મી વર્તુળોમાં ચર્ચા અનુસાર રણવીર તેની કેરિયર માટે કેટલાક લોકોની સલાહ લે છે અને તેમણે રણવીરને આ ફિલ્મ નહિ કરવા જણાવ્યુ ંહતું.
હવે રણવીર અને પ્રશાંતે કડવાશ ભૂલી ગયા હોય તેવા દેખાવ સાથે આ ફિલ્મ પડતી મૂકવાની સત્તાવાર જાહેરાત કરી છે.
સાથે સાથે તેઓ ભવિષ્યમાં ફરી સાથે કામ કરશે તેવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો છે.