રણવીરે રણબીર સાથે બ્રહ્માસ્ત્ર ટૂ માટે ઈનકાર કર્યો

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
રણવીરે રણબીર સાથે બ્રહ્માસ્ત્ર ટૂ માટે ઈનકાર કર્યો 1 - image


- બ્રહ્માસ્ત્ર ટૂનું ભાવિ ફરી અનિશ્ચિત

- અગાઉ રણવીરે રણબીર સાથે રામ લખનની રિમેક માટે પણ ઈનકાર કર્યો હતો

મુંબઇ : રણવીર સિંહે 'બ્રહ્માસ્ત્ર ટૂ'માં રણબીરના પિતાની ભૂમિકા કરવાનો ઈનકાર કર્યો છે. રણવીરના આ નિર્ણયના કારણે 'બ્રહ્માસ્ત્ર ટૂ'નું ભાવિ ફરી જોખમાયું છે. 

અગાઉ, 'બ્રહ્માસ્ત્ર'ના ડાયરેક્ટર અયાન મુખરજી તથા નિર્માતા કરણ જોહર વચ્ચે મતભેદોના કારણે 'બ્રહ્માસ્ત્ર ટૂ' અટકી પડી હતી. જોકે, તાજેતરમાં બંને વચ્ચે સમાધાન થતાં આ પ્રોજેક્ટ ફરી પાટા પર ચઢવાની આશા જાગી હતી. તે પછી એવા અહેવાલો આવ્યા હતા કે રણબીરના પિતાની ભૂમિકામાં રણવીરની પસંદગી થવાની છે. જોકે, હવે રણવીરે તે માટે ઈનકાર કરી દીધો છે. 

રણબીર અને રણવીર બંને સમકાલીન અભિનેતાઓ છતાં પણ તેઓ એક ફિલ્મમાં સાથે આવવાનું ટાળી રહ્યા છે. અગાઉ રોહિત શેટ્ટીએ 'રામ લખન'ની રિમેક માટે પણ બંનેનો સંપર્ક કર્યો હતો. ત્યારે પણ રણવીરે ઈનકાર કરી દીધો હતો. 

તાજેરતરમાં 'એનિમલ'ની સફળતા બાદ રણબીર કપૂર વધુ મોટો અને મોંઘો સ્ટાર બની ગયો છે. બીજી તરફ રણવીરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' સામાન્ય સ્તર પર જ સફળ થઈ હતી. 


Google NewsGoogle News