પિતા તરીકેની ફરજ બજાવવા રણબીર 6 માસનો બ્રેક લેશે
- રાહા સાથે થોડો સમય પસાર કરવાની ઈચ્છા
- રામાયણ અંગે હજુ ઘણું ફાઈનલ થવાનું બાકી, કિશોરકુમારની બાયોપિકની સ્ક્રિપ્ટ હવે વાંચશે
મુંબઇ : રણબીર કપૂર હવે છ મહિના સુધી એક્ટિંગમાંથી બ્રેક લેવાનો છે. દીકરી રાહા સાથે વધારે સમય વિતાવવા માટે તે આ બ્રેક લઈ રહ્યો છે.
રણબીર કપૂરે એક સંવાદમાં સ્વીકાર્યું હતું કે રાહાના જન્મ પછીના શરૂઆતના દિવસોમાં તે શૂટિંગમા ંવ્યસ્ત હોવાથી પુત્રીને પૂરતો સમય આપી શક્યો નથી. તેથી તે હવે છ મહિનાનો બ્રેક લેવાનો છે જેથી પુત્રી સાથે સારો સમય પસાર કરી શકે. તે પિતા તરીકને ફરજ બજાવવા માગે છે.
રણબીરે પોતાની લાડલી વિશે વાત કરતાં વધુમાં જણાવ્યુ હતુ કે, તેણે ઘૂંટણિયે ચાલવાનું શરૂ કરી દીધું છે. તેમજ તે ચીજો પણ ઓળખવા લાગી છે. તે મા અને પા બોલવાના પણ પ્રયાસ કરી રહી છે.
કેટલાક અહેવાલ અનુસાર આલિયા હાલ પોતાના પ્રોડક્શનની 'જિગરા' ફિલ્મમાં વ્યસ્ત થઈ ગઈ છે અને હવે 'બૈજુ બાવરા' માટે પણ તે વ્યસ્ત રહેવાની છે. બીજી તરફ રણબીર હજુ 'રામાયણ' ફિલ્મ વિશે કેટલીક બાબતો ફાઈનલ કરી રહ્યો છે. આ ઉપરાંત કિશોર કુમારની બાયોપિકની સ્ક્રિપ્ટ ફાઈનલ કરવા માટે તે તેના રીડીંગ માટે પૂરતો સમય ફાળવવા ઈચ્છે છે, આથી, તે હાલ કોઈ સેટ પર જવાનો નથી.