રણબીરે 'લવ એન્ડ ગોડ' માટે જાતભાતની શરતો મુકી

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
રણબીરે 'લવ એન્ડ ગોડ' માટે જાતભાતની શરતો મુકી 1 - image


- સંજય લીલા ભણશાળી લહેરી લાલા છે 

- મર્યાદિત કલાકો માટે જ શૂટિંગ કરશે, સેટ પર સંપૂર્ણ શિસ્ત જાળવવી પડશે

મુંબઈ : રણબીર કપૂરે સંજય લીલા ભણશાળીની પ્રણયત્રિકોણ આધારિત ફિલ્મ 'લવ એન્ડ ગોડ' સાઈન કરી લીધી છે પરંતુ તે પહેલાં તેણે અનેક જાતની શરતો મુકી હોવાની વાતો ચાલી રહી છે. 

બોલીવૂડમા ંચર્ચાઓ અનુસાર રણબીરે એવી શરત મુકી છે કે તે દિવસના ચોક્કસ મર્યાદિત કલાકો માટે જ સેટ પર કામ કરશે .એકવાર સેટ પર  આવી ગયા પછી અમર્યાદિત સમય સુધી કામ ચાલતું જ રહે તેવું તે નહીં ચલાવી લે. આ ઉપરાંત સેટ પર અન્ય કલાકારો તથા કસબીઓએ પણ સમયની બાબતમાં શિસ્ત જાળવવી પડશે. 

રણબીરને 'સાંવરિયા'થી અનુભવ છે કે સંજય લીલા ભણશાળી સમયની શિસ્તમાં નથી માનતા. કોઈ પ્રોજેક્ટ પાછળ તેમનું કામ અવિરત ચાલ્યા કરતું હોય છે. 

જોકે, રણબીરે શરત મુકી છે કે સંજય લીલા ભણશાળીએ તેના ભાગનું શૂટિંગ કોઈપણ ભોગે જૂન ૨૦૨૫ સુધીમાં પતાવી દેવું પડશે. રણબીર તે પછીની તારીખો અન્ય ફિલ્મો માટે ફાળવી ચુક્યો છે. 

આ ફિલ્મમાં રણબીર સાથે વિકી કૌશલ અને આલિયા ભટ્ટ પણ કામ કરી રહ્યાં છે. 


Google NewsGoogle News