રણબીર -સાઈ પલ્લવીની રામાયણનું શૂટિંગ આવતા જૂનથી

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
રણબીર -સાઈ પલ્લવીની રામાયણનું શૂટિંગ આવતા જૂનથી 1 - image


- નિર્માતાઓના ઝઘડાને કારણે અટકી હતી

- રણબીરે જાતે પોતાને વિગતો આપી હોવાનો એક ફેનનો દાવો

મુંબઈ : રણબીર કપૂરને ભગવાન શ્રી રામ તથા સાઈ પલ્લવીને સીતા માતાની ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ 'રામાયણ'નું શૂટિંગ આવતા જૂન માસથી શરુ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. 

રણબીરના એક  ચાહકે  સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો હતો કે તાજેતરમાં તેને એરપોર્ટ પર રણબીર સાથેવ ાત કરવાનો ચાન્સ મળ્યો હતો. તેમાં તેણે તેને 'રામાયણ'નું શૂટિંગ ક્યારથી શરુ થશે તેમ પૂછ્યું હતું. રણબીરે આવતા જૂનથી શૂટિંગ શરુ થવાની માહિતી આપી હોવાનું  આ ચાહકે જણાવ્યું હતું. 

જોકે, આ બાબતે રણબીર કે સર્જક નિતેશ તિવારી તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી. 

નિતેશ તિવારી લાંબા સમયથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. અગાઉ સીતા માતાના રોલ માટે આલિયા ભટ્ટનું નામ ચર્ચાયું હતું. પરંતુ, કોઈ કારણોસર આલિયાએ આ ફિલ્મ છોડી દીધા બાદ સાઉથની હિરોઈન સાઈ પલ્લવીનું નામ નક્કી થયું હતું. 

 ફિલ્મમાં રાવણની ભૂમિકા માટે સાઉથના સ્ટાર યશનું નામ ચર્ચાઈ રહ્યું છે. 

આ ફિલ્મનો મૂળ કન્સેપ્ટ નિર્માતા મધુ   મન્ટેનાનો હતો. જોકે, કાસ્ટિંગ બાબતે મતભેદોના કારણે મધુ મન્ટેના હવે આ પ્રોજેક્ટ છોડી ચૂક્યા હોવાનું કહેવાય છે. વાસ્તવમાં નિર્માતાઓ વચ્ચેની તકરારના કારણે આ ફિલ્મનું ભાવિ અનિશ્ચિત હોવાનું પણ એક તબક્કે ચર્ચાયું હતું. 


Google NewsGoogle News