રણબીરે પાપારાઝીઓ સાથે ગેરવર્તન કરતાં ટ્રોલ થયો

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
રણબીરે પાપારાઝીઓ સાથે ગેરવર્તન કરતાં ટ્રોલ થયો 1 - image


- નેટ યૂઝર્સએ રણબીરને ઘમંડી ગણાવ્યો

- દિવાળીની શુભેચ્છા આપવા કહ્યું તો પણ સૌને ધુત્કારીને હાંકી કાઢ્યા

મુંબઇ : રણબીર કપૂરે એક ઈવેન્ટમાં પાપારાઝીઓને ધુત્કારી કાઢ્યા હતા. આ પછી તે ઈન્ટરનેટ પર ભારે ટ્રોલ થયો છે. સોશિયલ મીડિયા યૂઝર્સએ રણબીરને ઘમંડી ગણાવ્યો છે. 

ફોટોગ્રાફર્સએ રણબીરને પોઝ આપવા માટે ઊભા રહેવા વિનંતી કરી હતી અને સાથે સાથે દિવાળીની શુભેચ્છા પાઠવવા જણાવ્યું હતું. 

જોકે, રણબીર કપૂર કોઈ કારણોસર ખરાબ મૂડમાં હતો અને તેણે 'ક્યા કરું ભાઈ' કહી બધાને ધુત્કારી દૂર હડસેલ્યા હતા. 

આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો રણબીરને  ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ લખ્યું છે કે રણબીરે ધાર્યું હોત તો બહુ વિનમ્રતાપૂર્વક પોઝ આપવાની કે કશું બોલવાની ના પાડી શક્યો હોત. માત્ર હેલ્લોની ચેષ્ટા કરીને પણ રવાના થઈ શક્યો હોત. તેને બદલે આ રીતે ગેરવર્તન કરવાની જરુર નથી. 

પાછલા કેટલાક દિવસોમાં રણબીર પાપારાઝીઓ સાથે ગેરવર્તનના કારણે બીજીવાર ચર્ચામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં પણ તે એક બિલ્ડિંગમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે ફોટોગ્રાફર્સ તેના ફોટા પાડવા માટે પાછળ પાછળ આવતાં રણબીર ભડક્યો હતો અને 'બિલ્ડિંગ કે અંદર મત ઘૂસના ' કહીને બધાને ધમકાવ્યા હતા. 

Ranbir

Google NewsGoogle News