33 વર્ષ બાદ શહેનશાહ અને થલાઇવા એક સાથે મોટી સ્ક્રિન પર જોવા મળશે, ફેન્સની ઉત્સુકતા વધી
નવી મુંબઇ,તા. 26 ઓક્ટોબર 2023, ગુરુવાર
દમદાર અભિનયના કારણે અમિતાભ બચ્ચન અને રજનીકાંત દાયકાઓથી માત્ર દર્શકોના દિલ પર જ નહીં પરંતુ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ રાજ કરી રહ્યા છે. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન છે જ્યારે રજનીકાંત દક્ષિણના થલાઈવા છે. અમિતાભ અને રજનીકાંતે તેમની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.
1991માં બંને મુકુલ એસ. આનંદના ડાયરેક્શનનાં બનેલી ફિલ્મ 'હમ'માં સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા હતા. અમિતાભ અને રજનીકાંતને સ્ક્રીન પર એકસાથે જોવું ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું ન હતું. હવે ફરી વખત દર્શકો આ બંનેની જોડીને સ્ક્રિન પર જોઇ શકશે. હા લગભગ 33 વર્ષ બાદ બંને દિગ્ગજ ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
અમિતાભ બચ્ચને આપી માહિતી
ઇન્સ્ટાગ્રામ પર, અમિતાભ બચ્ચને એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે ગ્રે સૂટ પહેરેલા લેન્સમાંથી જોઇ રહ્યાં છે. આ પોસ્ટ શેર કરતી વખતે બિગ બીએ લખ્યું કે, હું આ ક્ષણને વધુ મોટી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. 33 વર્ષ બાદ, થલાઈવર રજનીકાંત સર સાથે કામનો પહેલો દિવસ”
આ સિવાય તેમણે રજનીકાંત સાથેની પોતાની એક મોનોક્રોમ તસવીર પણ પોસ્ટ કરી અને લખ્યું, “ધ થલાઈવર..!!વોટ એ ઓનર”
બંને સ્ટાર્સ ટીજે જ્ઞાનવેલ દ્વારા નિર્દેશિત થલાઈવર 170 નામની ફિલ્મમાં સાથે જોવા મળશે. હાલમાં, અમિતાભ અને રજનીકાંત તેમના આગામી પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે.
રજનીકાંતે અમિતાભ બચ્ચન સાથે કામ કરવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો
બિગ બીની જેમ સાઉથ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ રજનીકાંતે પણ એક્ટર સાથે પોતાની એક તસવીર શેર કરી છે જેમાં બંને કેમેરા સામે પોઝ આપી રહ્યાં છે.
રજનિકાંતે પોસ્ટ શેર કરતાં કેપ્શનમાં લખ્યુ કે,
"33 વર્ષ પછી, હું મારા ગુરુ શ્રી અમિતાભ બચ્ચન સાથે ટી.જે. જ્ઞાનવેલ દ્વારા નિર્દેશિત આગામી "થલાઈવર 170"માં ફરી કામ કરી રહ્યો છું. મારું દિલ ખુશીથી ધડકી રહ્યું છે.!"