એક્ટ્રેસ પરિણીતિ ચોપરા અને નેતા રાઘવ ચઢ્ઢાના થયા લગ્ન, રાત્રે રિસેપ્શન-પાર્ટી યોજાશે
રાઘવ-પરિણીતિના વેડિંગ ઉદયપુરના ધ લીલા પેલેસમાં થયા
રાઘવ અને પરિણીતિને ખુબ શુભેચ્છાઓ મળી રહી છે
બોલીવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા (Parineeti Raghav Chadha marriage) લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. બંનેએ સાત ફેરા લઈ લીધા છે. ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન યોજાયા છે. કપલની આ ડ્રીમ વેડિંગ ઉદયપુરના ધ લીલા પેલેસમાં થયા છે. ચોતરફ જશ્નનો માહોલ બની ચૂક્યો છે. હવે પરિણીતિ અને રાઘવના વેડિંગ ફોટો બાકી છે. જેની રાહ ફેન્સ ખુબ જોઈ રહ્યા છે.
પરિણીતિની થઈ વિદાય, રાત્રે રિસેપ્શન-પાર્ટી
રાઘવ અને પરિણીતિને ખુબ શુભેચ્છાઓ મળી રહી છે. બંને સાત ફેરા લઈને એકબીજાના થઈ ચૂક્યા છે. સમાચાર આવી રહ્યા છે કે, લગ્ન બાદ પરિણીતિની વિદાય પણ થઈ રહી છે. જેમાં 'દુલ્હે કા સહરા' સોંગ પ્લે થયું છે. રાત્રે રિસેપ્શન-પાર્ટી થવાની છે.
લગ્નમાં બોલીવૂડની સાથે સાથે રાજનીતિના રાજનેતાઓ પણ સામેલ
પરિણીતી અને રાઘવના લગ્નમાં બોલીવૂડના મોટા સેલેબ્સની સાથે સાથે રાજનીતિની દુનિયાના મોટા રાજનેતાઓ પણ સામેલ થયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને સાંસદ સંજય સિંહે પણ લગ્નમાં હાજરી આપી હતી. ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પરિણીતી અને રાઘવના લગ્નમાં હાજર રહ્યા હતા.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.