ભૂલભૂલૈયા થ્રી માટે તબુએ ના પાડયા પછી વિદ્યા બાલનને ઓફર

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
ભૂલભૂલૈયા થ્રી માટે તબુએ ના પાડયા પછી વિદ્યા બાલનને ઓફર 1 - image


- ભૂલભૂલૈયા ફ્રેન્ચાઈઝીમાં પુનરાગમન થઈ શકે

- એકસરખી ભૂમિકા ભજવવા માગતી નથી તેમ કહી તબુએ ઈનકાર કર્યો હતો 

મુંબઇ : કાર્તિક આર્યનની ભૂલ ભૂલભૂલૈયા ૩માટે વિદ્યા બાલનનો સંપર્ક કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મૂળ ફિલ્મમાં વિદ્યા બાલન અને અક્ષયકુમારની જોડીએ રૂપેરી પડદે તરખાટ મચાવ્યો હતો. આ પછી ભૂલ ભૂલૈયા ટુમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબુએ કામ કર્યુ ંહતું. હવે ફરી વિદ્યા બાલનનો સંપર્ક કરવામાં આવ્યો છે અને વિદ્યાને ફાઇનલ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

સોશયલ મીડિયાના પોર્ટલના અનુસાર, વિદ્યા બાલનનો ભૂલ ભૂલૈયા ફિલ્મમાં મહત્વનો રોલ હતો. આ પછી બીજી કડીમાં તબુએ ભૂમિકા ભજવી તી. હવે ફિલ્મસર્જક ત્રીજી કડી માટે ફરી વિદ્યા બાલન પાસે ગયા છે. વિદ્યા બાલનને ત્રીજા ભાગ માટે બહુ તગડી ફી ઓફર કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે, વિદ્યાએ હજુ ફાઈનલ સંમતિ આપી નથી. રસપ્રદ છે કે, મૂળ ફિલ્મમાં દિગ્દર્શન પ્રિયદર્શનનું હતું પરંતુ  ત્રીજા ભાગનુંદિગ્દર્શન અનીસ બઝમી કરી રહ્યા છે. 

તબુએ ત્રીજા ભાગમાં કામ કરવાનો એમ કહીને ઈનકાર કરી દીધો હતો કે પોતે એકસરખી ભૂમિકાઓ ભજવવા માગતી નથી. 


Google NewsGoogle News