ઇઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરૂચા સાથે થયો સંપર્ક, મુશ્કેલી બાદ ભારત પરત ફરવા એરપોર્ટ પહોંચી

નુસરત ભરૂચા બોલીવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
ઇઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરૂચા સાથે થયો સંપર્ક, મુશ્કેલી બાદ ભારત પરત ફરવા એરપોર્ટ પહોંચી 1 - image
Image:Instagram

Israel-Palestine War : ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ગઈકાલથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચે થઇ રહેલા યુદ્ધ વચ્ચે બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઈ ગઈ છે. આ સમાચાર મળતા જ નુસરત(Nushrat Bharucha)ના ફેન્સ ખૂબ જ ચિંતિત થઇ ગયા હતા અને નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ હવે તેના ફેન્સ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરૂચા સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને જાણવા મળ્યું છે કે તે એકદમ સુરક્ષિત છે.

એમ્બેસીની મદદથી નુસરતને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવી રહી છે

નુસરત ભરૂચા ઇઝરાયેલથી નીકળવા માટે એરપોર્ટ પહોંચી ચુકી છે. તે ટૂંક સમયમાં જ ફ્લાઇટ દ્વારા ઇઝરાયેલ છોડીને પોતાના દેશ પરત ફરશે. નુસરતના પરિવાર, ચાહકો અને સમગ્ર દેશ માટે આ રાહતના સમાચાર છે. નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત ફરે તેની બધા લોકો રાહ જોઈ રહ્યા છે. નુસરત ભરૂચાની ટીમે જણાવ્યું હતું કે આખરે અમારો નુસરત સાથે સંપર્ક થઇ ગયો છે. એમ્બેસીની મદદથી તેને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવી રહી છે. તે સુરક્ષિત છે અને ભારત પરત ફરી રહી છે.

હાઈફા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ઇઝરાયેલ ગઈ હતી નુસરત

નુસરત ભરૂચા હાઈફા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ(Haifa International Film Festival)માં ભાગ લેવા માટે ઇઝરાયેલ ગઈ હતી. પરંતુ આ દરમિયાન ત્યાં યુદ્ધ શરુ થઇ ગયું અને તે ત્યાં ફસાઈ ગઈ હતી. નુસરતની ટીમે અ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, 'નુસરત એક બેઝમેન્ટમાં છે અને તે સુરક્ષિત છે. પરંતુ અમે ત્યારે ખુબ ચિંતિત થઇ ગયા હતા જયારે વાતચીત દરમિયાન અમારો સંપર્ક તૂટી ગયો હતો. અમે આશા કરીએ છીએ કે તે સ્વસ્થ અને સુરક્ષિત રીતે ભારત પરત ફરે. મળેલ માહિતી અનુસાર નુસરત ટૂંક સમયમાં જ વોર ઝોનથી બહાર નીકળવા માટે ફ્લાઈટમાં જશે.

ઇઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરૂચા સાથે થયો સંપર્ક, મુશ્કેલી બાદ ભારત પરત ફરવા એરપોર્ટ પહોંચી 2 - image


Google NewsGoogle News