પાનમસાલાની એડ માટે સલમાન, શાહરુખ સહિત છને નોટિસ

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
પાનમસાલાની એડ માટે સલમાન, શાહરુખ સહિત છને નોટિસ 1 - image


- અદાલતમાં ચાલતા કેસને કલબ કરવાની ચિમકી

- કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, સહેવાગ સહિતના ક્રિકેટર્સને પણ નોટિસ અપાઈ

મુંબઇ : સલમાન ખાન, અજય દેવગણ, શાહરુખ ખાન, હૃતિક રોશન તથા ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારને પાનમસાલા બ્રાન્ડના વિજ્ઞાપન માટે નોટિસ અપાઈ છે. 

 આ સ્ટાર્સને નોટિસમાં જણાવાયું છે કે  સલમાન, ઋતિક, શાહરૃખ, અક્ષય, અજય અને ટાઇગર શ્રોફે પાન મસાલાની વિજ્ઞાપન માટે જે કરાર કર્યા છે તેને ૧૫ દિવસમાં અંત લાવવો પડશે. જો આમ નહીં કરવામાં આવે તો  હાલ લખનઉ હાઈકોર્ટમાં આ અંગે ચાલી રહેલા એક કેસમાં તેમનાં નામ પણ પ્રતિવાદી તરીકે સામેલ કરવામાં આવશે. 

એક એડવોકેટ દ્વારા આ નોટિસ અપાઈ છે. 

સ્ટાર્સ ઉપરાંત અમુક ક્રિકેટર્સોને પણ આ મામલામાં લીગલ નોટીસ મળી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સહેવાગ જેવા ભૂતપૂર્વ ક્રિકેટરો સામેલ થછે. 

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર, અજય દેવગણ અને શાહરૃખ ખાનને અગાઉ પણ એક નોટિસ પાઠવવામાં આવી હતી જેની સુનાવણી નવમી મે, ૨૦૨૪ના રોજ થવાની છે. 

અક્ષય કુમાર આ અગાઉ જ પાનમસાલાની એડ કરવા બદલ જાહેર માફી માગી ચૂક્યો છે. 


Google NewsGoogle News