'મારાથી મિસ્ટેક થઈ ગઈ', નયનતારાના પતિએ કરી નાખી મોટી ભૂલ, થલાપતિ વિજય-લોકેશના ફેન્સ ગુસ્સે ભરાયા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
'મારાથી મિસ્ટેક થઈ ગઈ', નયનતારાના પતિએ કરી નાખી મોટી ભૂલ, થલાપતિ વિજય-લોકેશના ફેન્સ ગુસ્સે ભરાયા 1 - image


                                                                 Image Source: Twitter

મુંબઈ, તા. 09 ઓક્ટોબર 2023 સોમવાર

ફિલ્મ જવાન દ્વારા નયનતારાએ ફિલ્મી દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. અત્યારે તેને કાસ્ટ કરવા માટે પ્રોડ્યુસર-ડાયરેક્ટર્સની લાઈન લાગેલી છે. બીજી તરફ તેના પતિ ડાયરેક્ટર વિગ્નેશ સિવન અત્યારે એક મુસીબતમાં ફસાઈ ગયા છે. તેઓ એક પોસ્ટને લાઈક કરીને ફસાઈ ગયા છે. મામલો એટલો વધી ગયો કે હવે તેમણે સોશિયલ સાઈટ પર એક માફીપત્રક પોસ્ટ કર્યુ છે, જેમાં તેમણે સાઉથના હિટ ડાયરેક્ટર લોકેશ કનગરાજ અને સુપરસ્ટાર થલાપતિ વિજયના ચાહકો પાસે માફી માગી છે. 

સોશિયલ મીડિયા પર તમામ સેલેબ્સના ચાહકોનું ગ્રૂપ છે અને તે પોતાના મનપસંદ સ્ટારને લઈને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. દરમિયાન જો કોઈ તેમના મનપસંદ કલાકાર સાથે જોડાયેલી કોઈ નેગેટીવ વાતને પ્રમોટ કરે છે તો ચાહકો તેમના પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરે છે. આવી જ કંઈક હાલત નયનતારાના ડાયરેક્ટર પતિ વિગ્નેશ સિવનની સાથે થઈ. તેમણે એક પોસ્ટને લાઈક કરી દીધી, જેમાં લોકેશ કનગરાજ અને થલાપતિ વિજયની વચ્ચે વિવાદની વાત હતી. આ મુદ્દે તેમને લોકેશ અને વિજયના ચાહકોએ ઘેરી લીધા. 

આ મામલો હતો

લોકેશ કનગરાજ અને વિજય થલાપતિને લઈને 8 ઓક્ટોબરે એક ટ્વીટ કરવામાં આવી હતી. જે અનુસાર ફિલ્મ લિયોના ગીત નો રેડી બાદથી લોકેશ અને થલાપતિ વિજય વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે લિયોના પ્રમોશન્સમાં વિજયના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. આ પોસ્ટને વિગ્નેશ સિવને લાઈક કરી દીધી હતી અને આ વાત પર લોકેશ અને વિજયના ચાહકો તેમનાથી નારાજ થઈ ગયા હતા.

વિગ્નેશે કર્યો ખુલાસો

આ મામલો એટલો વધી ગયો કે હવે વિગ્નેશ સિવને બધાની માફી માગવી પડી. વિગ્નેશે એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યુ છે ડિયર વિજય સર ફેન્સ, લોકી ફેન્સ... કન્ફ્યૂઝન માટે સોરી. મે મેસેજ જોયા વિના જ તેને લાઈક કરી દીધો, મે માત્ર લોકીનો ઈન્ટરવ્યૂ જોયો હતો, તેની સાથેનો મેસેજ વાંચ્યો નહીં. હુ લોકીનો મોટો ફેન છુ અને તેમના ઈન્ટરવ્યૂ પસંદ છે. સાથે જ હુ વિજય સરની લિયોની આતુરતાથી રાહ જોઈ રહ્યો છુ. હંમેશાની જેમ મે બસ લોકી સરને જોયા અને લાઈક કરી દીધા. આ મારી મોટી ભૂલ છે અને મારે ધ્યાન રાખવુ જોઈએ. આ મારી તરફથી મૂર્ખતાપૂર્ણ ભૂલ છે. હુ થલાપતિ ફેન્સની માફી માગુ છુ. હુ 19 ઓક્ટોબરે લિયો જોવાની રાહ જોઈ રહ્યો છુ. તમને સૌ ને વિનંતી છે કે મારી આ ભૂલ પર હવે વધુ કમેન્ટ કરીને પોતાનો સમય ન બગાડો અને લિયોનું સેલિબ્રેશન શરૂ કરો.

થલાપતિ વિજયની ફિલ્મ લિયો 19 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મમાં તેમની સાથે તૃષા કૃષ્ણન, સંજય દત્ત અને અર્જુન સરજા નજર આવશે.


Google NewsGoogle News