નવાઝુદ્દિન સિદ્દિકી અને પત્ની આલિયા વચ્ચે આખરે સમાધાન

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
નવાઝુદ્દિન સિદ્દિકી અને પત્ની આલિયા વચ્ચે આખરે સમાધાન 1 - image


- ગંભીર આક્ષેપો સાથે તમાશો સર્જાયો હતો

- આલિયા બાળકો સાથે ફરી નવાઝના ઘરે પહોંચી ગઈઃ મેરેજ એનિવર્સરી પણ ઉજવી

મુંબઇ : નવાઝુદ્દિન સિદ્દિકી તથા તેની પત્ની આલિયા વચ્ચે લાંબા સમય સુધી તકરાર તથા કોર્ટ કેસોનો સિલસિલો ચાલ્યા બાદ હવે આખરે સમાધાન થઈ ગયું છે. આલિયા સંતાનો સાથે ફરી નવાઝના ઘરે રહેવા ગઈ છે અને બંનેએ સાથે મેરેજ એનિવર્સરી પણ મનાવી હતી. 

આલિયા તથા નવાઝ બાળકો સાથે મસ્તી કરી રહ્યાં હોય તેવો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. તે પછી અનેક લોકોએ તેમને લગ્ન જીવનને એક નવી તક આપવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. 

ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૨૩માં આલિયા અને નવાઝુદ્દીન અલગ થઇ ગયા હતા. આલિયાએ નવાઝુદ્દીન પર મારપીટ, ખાવાનું ન આપવાથી લઇને ઘરમાં કેદ કરવા જેવા ગંભીર આરોપો મુક્યા હતા. તેણે નવાઝના ઘરની બહારથી જ અનેક વીડિયો ઉતારી નવાઝ તથા તેની મમ્મી પર આક્ષેપો કર્યા હતા.


Google NewsGoogle News