બાળકો માટે ફરી સાથે રહેશે નવાઝુદ્દીન સિદ્દિકી અને આલિયા, કોર્ટ-કચેરીના ધક્કા બાદ લીધો નિર્ણય?

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
બાળકો માટે ફરી સાથે રહેશે નવાઝુદ્દીન સિદ્દિકી અને આલિયા, કોર્ટ-કચેરીના ધક્કા બાદ લીધો નિર્ણય? 1 - image


Image Source: Instagram

મુંબઈ, તા. 28 માર્ચ 2024 ગુરૂવાર

નવાઝુદ્દીન સિદ્દિકીની પર્સનલ લાઈફ લાંબા સમય સુધી ખૂબ ચર્ચામાં રહી. અભિનેતાનો પોતાની પત્ની આલિયા આનંદ પાંડેની સાથે ઘરેલુ વિવાદ એટલો વધી ગયો હતો કે બંનેએ તલાક આપવાનો નિર્ણય લીધો હતો. આલિયા બાળકો સાથે દુબઈમાં રહેતી હતી અને નવાઝ મુંબઈમાં. બંને તરફથી એકબીજા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા પરંતુ તાજેતરમાં જ આલિયાએ એક તસવીર શેર કરી સૌને ચોંકાવી દીધા. તેમણે પોતાના બંને બાળકોની સાથે નવાઝુદ્દીન અને પોતાની એક તસવીર શેર કરી લગ્નની વર્ષગાંઠ મનાવવાનો દાવો કર્યો. જેને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્ન ઊભા થયા. હવે આલિયાએ તે પ્રશ્નોનો જવાબ આપતા જણાવ્યુ કે તેઓ અને નવાઝ પોતાના બાળકો માટે બીજી વખત સાથે આવી ગયા છે. 

આલિયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે લગ્નની વર્ષગાંઠ પર નવાઝુદ્દીન સિદ્દીકી તેમને અને બાળકોને મળવા દુબઈ ગયા હતા. તેમણે જણાવ્યુ કે તેમના લગ્ન જીવનમાં મુશ્કેલીઓ કોઈ ત્રીજાના કારણે આવી હતી અને હવે બધુ ઠીક છે. તેમણે જણાવ્યુ કે બીજી વખત સાથે આવવા પાછળનું પહેલુ કારણ તેમના બંને બાળકો છે. 

આલિયાએ કહ્યુ, હવે લાઈફમાં અલગ રહેવાનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યુ કે બાળકો હવે મોટા થઈ રહ્યા છે અને તેમને એક સાથે રહેવાની જરૂર છે. નવાઝ શોરાની ખૂબ નજીક છે અને જે કંઈ પણ થયુ હતુ તે બાદ તે ખૂબ ચિંતિત હતી. તે આ બધુ સહન કરી શકતી નહોતી. આલિયાએ જણાવ્યુ કે તેમને મળ્યા બાદ નવાઝુદ્દીન મુંબઈ પાછા આવી ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ તે પણ પોતાના બંને બાળકોને લઈને મુંબઈ પાછા ફરશે. જેથી બધા સાથે રહી શકે. 

આલિયાએ નવાઝુદ્દીન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. એટલુ જ નહીં તેમણે નવાઝની સાથે ઝઘડાનો વીડિયો પણ વાયરલ કર્યો હતો અને સાથે જ પોતાની પર્સનલ ચેટ પણ શેર કરી હતી. જે બાદ તેમણે સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે તેમણે નવાઝને માફ કરી દીધા છે અને પછી બિગ બોસમાં જણાવ્યુ હતુ કે બંનેની વચ્ચે બધુ જ ખતમ થઈ ચૂક્યુ છે. હવે બંને એક સાથે આવી ચૂક્યા છે તો આ સમાચારથી ચાહકો ખૂબ ખુશ છે. 


Google NewsGoogle News