અર્જુન ચિત્રાંગદાની જેમ પરણશે રણદીપ અને લિન

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
અર્જુન ચિત્રાંગદાની જેમ પરણશે રણદીપ અને લિન 1 - image


- મણિપુરમાં તા. 29મીએ સાત ફેરા

- લગ્નમાં મણિપુરી નૃત્ય સહિતના પરંપરાગત કાર્યક્રમોઃ મુંબઈમાં રિસેપ્શન

મુંબઇ : રણદીપ હુડા અને લિન લૈશરામ ૨૯ નવેમ્બરના રોજ મણિપુરમાં લગ્ન કરવાના છે. વાસ્તવમાં લિન મણિપુરની હોવાથી તેમણે લગ્ન માટે આ સ્થળ પંસદ કર્યું છે. આ લગ્નનું થીમપૌરાણિક કથા સાથેજોડાયેલું હશે. જેમ કે મહાભારતમાં અર્જુન અને ચિત્રાંગદાના લગ્ન થયા હતા. તે જ અંદાજમાં રણદીપ પણ પોતાની  પ્રેયસી સાથે લગ્ન કરશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આ  યુગલ મણિપુરની પરંપરાગત શૈલી અનુસાર જ લગ્નવિધિઓ કરશે.  પરિધાનથી લઇને ખાણીપીણી સુધી બધું જ નોર્થઇસ્ટ સ્ટાઇલમાં હશે. એટલું જ નહીં મણિપુરી સ્ટાઇલમાં નૃત્યો પણ કરવામાં આવશે. 

રણદીપ અને લિન એકાદ-બે દિવસમાં મણિપુર માટેરવાના થઇજશે. લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ  તેમજ અંગત લોકોને જ બોલાવામાં આવ્યા છે. પ્રી વેડંગ ફંકશનમાં પણ બન્ને પરિવારના લોકો સામેલ થશે. 

મણિપુરમાં ધામધૂમથી લગ્ન કર્યા પછી રણદીપ હૂડાપોતાના મિત્રો અને કો-સ્ટાર્સ માટે મુંબઇમાં  ડિસેમ્બરમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજે તેવી સંભાવના છે. 

રણદીપ હૂડા પોતાની અંગત જિંદગી વિશે ભાગ્યે જ વાત કરે છે અને તેથી જ તેના લગ્નની વિગતો અંગે પણ બહુ જુજ વિગતો સાંપડી રહી છે. 


Google NewsGoogle News