હાર્ટ એટેક બાદ શ્રેયસ તલપડેની તબિયત અંગે આવ્યા મોટા સમાચાર, ખુદ એક્ટર આપ્યું હેલ્થ અપડેટ

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
હાર્ટ એટેક બાદ શ્રેયસ તલપડેની તબિયત અંગે આવ્યા મોટા સમાચાર, ખુદ એક્ટર આપ્યું હેલ્થ અપડેટ 1 - image


Image Source: Twitter

- એક્ટરે ચાહકોનો તેમના સપોર્ટ અને પ્રાર્થના માટે આભાર પણ માન્યો

મુંબઈ, તા. 20 ડિસેમ્બર 2023, બુધવાર

થોડા દિવસ પહેલા બોલીવુડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટર્સે એક્ટરની એન્જિયોપ્લાસ્ટી કરી હતી જે સફળ રહી છે. સોમવારે એવા સમાચાર વહેતા થયા હતા કે, એક્ટરને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા મળી જશે પરંતુ હજું તેમને રજા આપવામાં નથી આવી. આ વચ્ચે હવે ખુદ એક્ટરે પોતાનું હેલ્થ અપડેટ આપ્યુ છે. આ સાથે જ એક્ટરે ચાહકોનો તેમના સપોર્ટ અને પ્રાર્થના માટે આભાર પણ માન્યો હતો.

શ્રેયસ તલપડેએ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ

એક વેબ પોર્ટલ સાથે વાતચીત કરતા શ્રેયસ તલપડેએ કહ્યું કે, તમારા બધાનો સપોર્ટ અને પ્રાર્થના માટે આભાર. હું હવે થોડું સારું અનુભવી રહ્યો છું. એક્ટરે એ પણ ખુલાસો કર્યો કે, હજું તે ઘરે નથી પહોંચ્યો  હોસ્પિટલમાં જ એડમિટ છે. 14 ડિસેમ્બરના રોજ એટેક આવવા પહેલા એક્ટર પોતાની અપકમિંગ ફિલ્મ 'વેલકમ ટૂ ધ જંગલ'નું શૂટિંગ કરીને ઘરે પરત ફર્યો હતો. શૂટિંગ બાદ એક્ટરને પોતાની તબિયત ઠીક ન લાગતા તે ઘરે પરત ફર્યો હતો. જોકે, ઘરે આવતાની સાથે જ શ્રેયસ તલપડેની તબિયત અચાનક લથડી ગઈ અને તે બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ તેની પત્ની દીપ્તિ તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. બીજી તરફ ચાહકો એક્ટરના સુરક્ષિત ઘરે પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

આ ફિલ્મોમાં કર્યું કામ

શ્રેયસ તલપડેએ બોલીવુડ અને મરાઠી ફિલ્મોનો પણ મોટો સ્ટાર છે. શ્રેયસ છેલ્લા ઘણા દાયકાઓથી મનોરંજનના ક્ષેત્રમાં સક્રિય છે. તેણે 'ઈકબાલ', 'અપના સપના મની મની', 'ઓમ શાંતિ ઓમ', 'ગોલમાલ રિટર્ન્સ', 'ગોલમાલ 3', 'હાઉસફુલ 2' અને 'ગોલમાલ અગેઈન' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે એક બેસ્ટ ડબિંગ આર્ટિસ્ટ પણ છે. તેણે હોલીવુડ ફિલ્મ 'ધ લાયન કિંગ' અને બોલીવુડ ફિલ્મ 'પુષ્પા'માં પણ પોતાનો અવાજ આપ્યો છે.


Google NewsGoogle News