સારા અલીએ અફેર્સની વાત જાહેરમાં છેડતાં કાર્તિક નારાજ

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
સારા અલીએ અફેર્સની વાત જાહેરમાં છેડતાં કાર્તિક નારાજ 1 - image


- કરણના શોથી વધુ એક વખત ભડકો

- અંગત સંબંધો કે અન્યો વિશે જાહેરમાં ચર્ચા ન કરી ગૌરવ જાળવવું જોઈએ તેવી ટિપ્પણી

મુંબઇ: સારા અલી ખાને કાર્તિક આર્યન સાથેના પોતાના પ્રેમ સંબંધ વિશે કરણ જોહરના ચેટ શોમાં જાહેર ચર્ચા કરતાં કાર્તિક આર્યન સારા પર નારાજ થઈ ગયો છે. અંગત સંબંધોને આ રીતે જાહેર મંચ પર ચર્ચવા ન જોઈએ અને તેનાથી સંબંધોનું ગૌરવ જળવાતું નથી તેવી ટિપ્પણી કાર્તિકે કરી છે. 

કાર્તિકે કહ્યુ ંહતુ ંકે, સંબંધોમાં પરસ્પર સન્માન બહુ જરુરી છે. હું મારા પાર્ટનર પાસેથી પણ આ જ આશા રાખું છું. આપણા સંબંધો પર અન્ય કોઇ વ્યક્તિ જાહેરમાં ચર્ચા કરે તે સારું ન કહેવાય. હું ઇચ્છું છું કે જાહેરમાં લોકો મારી કારકિર્દી વિશે ચર્ચા કરે નહીં કે મારી અંગત  જીવન પર. અન્યોના અંગત સંબંધોને જાહેરમાં ઉછાળવા ન જોઇએ. 

સાથે તેણે એમ પણ કહ્યુ ંહતુ ંકે, જ્યારે બે લોકો રિલેશનશિપમાં હોય ત્યારે અન્ય વ્યક્તિએ જાહેરમાં તેના વિશે  ટીપ્પણી કરવી જોઇએ નહીં. એ સંબંધ નિષ્ફળ ગયા હોય તો પણ સમય , પરિસ્થિતિ અને તે પળોની તેમજ પોતાની રિસ્પેકટ જળવાઇ રહે તે   મહત્વનું છે. 

સારા અને કાર્તિક અગાઉ રિલેશનશિપમાં હતાં. બાદમાં બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું. જોકે, તાજેતરમાં સારાએ યોજેલી દિવાળી પાર્ટીમાં કાર્તિકે હાજરી આપતાં બંને વચ્ચે ફરી દોસ્તી રચાઈ હોવાના સંકેત મળ્યા હતા. પરંતુ, કરણ જોહરના ચેટ શોના કારણે બંને વચ્ચે ફરી ખટાશ સર્જાઈ શકે છે.


Google NewsGoogle News