કરણે જન્મદિવસે નવી ફિલ્મનાં દિગ્દર્શનની ઘોષણા કરી

Updated: May 26th, 2024


Google NewsGoogle News
કરણે જન્મદિવસે નવી ફિલ્મનાં દિગ્દર્શનની ઘોષણા કરી 1 - image


- શાહરુખ-કાજોલની જોડી લાવોઃ પબ્લિક ડિમાન્ડ 

- કરણે વર્ષો પછી  ગયાં વર્ષે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું દિગ્દર્શન કર્યું હતું

મુંબઈ : કરણ જોહરે તેના જન્મદિને નવી ફિલ્મ દિગ્દર્શિત કરવાની ઘોષણા કરી આશ્ચર્ય સર્જ્યું હતું. તેની પોસ્ટ નીચે અનેક લોકોએ શાહરુખ અને કાજોલની જોડીને ફરી પડદા પર લાવવાની ડિમાન્ડ કરી હતી. 

કરણ જોહરે 'કુછ કુછ હોતા હૈ'થી ફિલ્મ દિગ્દર્શક તરીકે શરુઆત કરી હતી. તે પછી તેણે અનેક સફળ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. જોકે, વચ્ચે કેટલાંય વર્ષો સુધી તેણે  ફિલ્મ દિગ્દર્શન છોડી દીધું હતું અને માત્ર ફિલ્મ નિર્માણ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગયાં વર્ષે તેેણે રણવીર અને આલિયાની ફિલ્મ  'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' દ્વારા દિગ્દર્શક તરીકે પુનરાગમન કર્યું હતું. તે પછી હંમેશાં એવી અટકળો થતી રહી છે કે કરણ વધુ કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન કરશે કે પછી મોટાભાગે નિર્માતા તરીકે જ સક્રિય રહેેશે. 

જોકે, શનિવારે જન્મદિને તેણે આ અટકળોનો અંત લાવતાં વધુ એક ફિલ્મના દિગ્દર્શનની જાહેરાત કરી હતી. તેણે આ બાબતે એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી. જોકે, તેણે ફિલ્મના કલાકારો કે ટાઈટલ વિશે કશું જાહેર કર્યું નથી. 

આ ફિલ્મ કઈ હોઈ શકે તે અંગે અટકળો શરુ થઈ ગઈ છે. લોકોએ પોતાની માનીતી કાસ્ટની ડિમાન્ડ પણ કરવા માંડી છે. મહત્તમ લોકોએ કરણને શાહરુખ અને કાજોલને લઈ ફરી એક ફિલ્મ બનાવવા જણાવ્યું હતું. 

દરમિયાન કરણ જોહરે શુક્રવારે બર્થ ડે પાર્ટી પણ યોજી હતી જેમાં કાજોલ, ફરહા, અનિલ કપૂર, વરુણ ધવન સહિતના કલાકારો તથા સર્જકો ઉમટયા હતા. 


Google NewsGoogle News