તારક મહેતા શો છોડનારા એક્ટર માટે જેઠાલાલે લખ્યો ભાવુક મેસેજ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
jethalal


Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શરૂ થયાને 16 વર્ષ થઈ ગયા છે અને આ વર્ષોમાં ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. કેટલાકે વિવાદોને કારણે TMKOC છોડવાનું યોગ્ય માન્યું જ્યારે અન્ય કલાકારો અન્ય કારણોસર અલગ થયા. હવે વધુ એક કલાકારે શો છોડ્યાના સમાચાર આવ્યા છે. ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને અલવિદા કહી દીધું છે.

જેઠાલાલ થયા ભાવુક 

ગોલીના શો છોડવાથી જેઠાલાલ ભાવુક થયા હતા અને કુશને શુભકામના આપતો એક મેસેજ લખ્યો હતો, સોશિયલ મીડિયામાં જેઠાલાલે ગોળીનો એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે, 'કુશ શાહ આ પિન્ચ અમને છોડવા માટે છે! પરંતુ મજાક સિવાય જો વાત કરું તો તારી સાથે કરેલા દરેક સીનનો મેં આનંદ માણ્યો છે. ઘણી બધી શુભેચ્છાઓ! આવી જ રીતે સ્મિત ફેલાવતા રહો અને  હવે બંધુકની ગોળીની જેમ આગળ વધો એવી શુભકામનાઓ!'

શો છોડતી વખતે ગોલીએ શેર કર્યો હતો એક વીડિયો

કુશ શાહે શો માટે આભાર વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં અભિનેતાએ કહ્યું હતું કે, 'જયારે આ શો શરુ થયો હતો, ત્યારે હું યંગ હતો. તમે અને આ પરિવારે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. મેં અહીં ઘણી યાદો બનાવી છે અને મેં આ શોમાં ખૂબ એન્જોય કર્યું છે. તેમજ મેં આ શોમાં જ મારું નાનપણ વિતાવ્યું છે. આ સફર માટે હું આસિત મોદીનો આભારી છું, જેણે મને મને ગોલીમાં પરિવર્તિત કર્યો. તમારો ગોલી એવો જ રહેશે. એ જ ખુશી, એ જ હાસ્ય, એ જ તોફાન, શોમાં એક અભિનેતા બદલાઈ શકે પણ પાત્ર નહિ'

તારક મહેતા શો છોડનારા એક્ટર માટે જેઠાલાલે લખ્યો ભાવુક મેસેજ 2 - image


Google NewsGoogle News