જયા બચ્ચન ગુસ્સે થવાનું નાટક કરે છે, નીતુ કપૂરે કરણ જોહરના શોમાં કર્યો ખુલાસો

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
જયા બચ્ચન ગુસ્સે થવાનું નાટક કરે છે, નીતુ કપૂરે કરણ જોહરના શોમાં કર્યો ખુલાસો 1 - image


- મને આ જયા બચ્ચન અને પાપારાઝીની મિલી ભગત લાગે છે: નીતુ કપૂર

મુંબઈ, તા. 11 જાન્યુઆરી 2024, ગુરૂવાર

મીડિયાના કેમેરાની સામે સેલિબ્રિટીઓ મોટાભાગે હસતા-હસતા પોઝ આપતા જ નજર આવતા હોય છે. કેટલાક સેલેબ્સ તો પેપારાઝીના કેમેરામાં દરરોજ કેપ્ચર થતાં હોય છે. પરંતુ જયા બચ્ચન એવા સેલિબ્રિટી છે જેઓ જ્યારે પણ પાપારાઝી સામે આવે છે ત્યારે તેમના ગુસ્સે થવાની અથવા તો કેમેરામેન પર ભડકવાનો એક ને એક વીડિયો અથવા ફોટો સામે આવી જ જાય છે. પરંતુ હવે જયા બચ્ચનના આ ગુસ્સા પર નીતુ કપૂરે કંઈક અલગ જ ખુલાસો કર્યો છે. નીતૂનું કહેવું છે કે, આ તેને જયા બચ્ચન અને પાપારાઝીની મિલી ભગત લાગે છે.

જયા બચ્ચન ગુસ્સે થવાનું નાટક કરે છે: નીતુ કપૂર

નીતુ કપૂરે પાપારાઝી સાથે જયા બચ્ચનના સંબંધો પર કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં ખુલીને વાત કરી છે. જયા બચ્ચન ઘણીવાર પાપારાઝી પર ગુસ્સે થતા જોવા મળે છે. કેમેરાની સામે આવા જ વર્તનને કારણે જયા બચ્ચનનો સ્વભાવ ગુસ્સા વાળો હોવાની વાત પણ કરવામાં આવે છે. પરંતુ નીતુએ જયા બચ્ચનના આ વર્તનને નકલી ગણાવ્યું છે. નીતુએ કહ્યું કે, મને લાગે છે કે તેઓ નાટક કરે છે. નીતુએ આગળ કહ્યું, મને લાગે છે કે જો જયાજી આવું કરે તો એકવાર થઈ જાય... તેઓ એવા નથી.

જયા બચ્ચન અને પાપારાઝીની મિલી ભગત

તેના પર કરણ જોહરે કહ્યું કે, બિલ્કુલ નહીં, તેઓ ખૂબ જ પ્રેમાળ છે. પાપારાઝી તેમનાથી એટલા ડરે છે કે, તેઓ એન્ટર કરે અને કહે છે કે, બસ થઈ ગયું. મને લાગે છે કે, તેઓ હવે તેને એન્જોય કરે છે. તેના પર નીતુએ આગળ કહ્યું કે, બધા તેને એન્જોય કરે છે. મને લાગે છે કે, આ કંઈક મિલી ભગત છે.

જયા બચ્ચને તાજેતરમાં જ કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રણવીર સિંહની મતાનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં જયા બચ્ચને એક ખૂબ જ ગુસ્સાવાળી માતાનો પાત્ર ભજવ્યુ હતું. આ ફિલ્મ બાદ પણ જયાના ગુસ્સા વાળા પાત્રને લઈને ઘણા મીમ્સ બન્યા હતા કે, તેઓ આ ફિલ્મમાં પોતાનું જ પાત્ર નિભાવી રહ્યા છે. 


Google NewsGoogle News