જાહ્વવી બોયફ્રેન્ડ શિખર સાથે ઊજ્જૈન દર્શને પહોંચી

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
જાહ્વવી બોયફ્રેન્ડ શિખર સાથે ઊજ્જૈન દર્શને પહોંચી 1 - image


- મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરી

- સજોડે ધાર્મિક યાત્રા અને પૂજાથી બંનેની સગાઈ થઈ ચૂકી હોવાની અટકળો

મુંબઇ : જાહ્વવી કપૂર તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે ઉજ્જૈન પહોંચી હતી અને ત્યાં બંનેએ મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી કરી હતી. જાહ્વવી સતત તેના બોયફ્રેન્ડ સાથે ધાર્મિક યાત્રાઓ કરી રહી છે તે પરથી બંનેની સગાઈ થઈ ચૂકી છે કે શું તેવી ચર્ચા થઈ રહી છે. 

વાયરલ થયેલા વીડિયોમાં જાહ્નવી અને શિખર મંદિરના હોલમાં સાથે બેઠેલા ભગવાનના ભજન-આરતી કરતાજોવા મળી રહ્યા છે. જાહ્નવી રાણી કલરની સાડીમાં અને શિખર કુર્તા પાયજામા માં સજ્જ થયો હતો. 

જોકે, આ વખતે સાઉથના ફિલ્મ સર્જક એટલી પણ તેમની સાથે હતા. જાહ્વવી એટલીની એક ફિલ્મમાં કામ કરી રહી છે. 

થોડા સમય પહેલાં જાહ્વવી અને શિખર તિરુપતિ બાલાજી મંદિર પણ સાથે સાથે ગયા હતા અને ત્યાં પૂજાવિધિ કરી હતી. બંને ત્યારે ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થયાં હતાં. 

તે વખતે પણ આ સગાઈ પછીની પૂજાવિધિ છે કે શું તેવા સવાલો સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા. 

જાહ્વવી અને શિખર પહાડિયા પારિવારિક પ્રસંગો તથા પિકનિકમાં પણ સતત સાથે હોય છે. દરેક ઈવેન્ટમાં પણ તેઓ સજોડે હાજરી આપે છે. તેમના સંબંધને જાહ્વવીના પિતા બોની કપૂરે પણ સ્વીકારી લીધો છે. 


Google NewsGoogle News