VIDEO : ઉઘાડા પગે પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યા હતા જેકી શ્રોફ, કહ્યું- 'રામના ઘરે જૂતાની શું જરૂર'

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
VIDEO : ઉઘાડા પગે પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યા હતા જેકી શ્રોફ, કહ્યું- 'રામના ઘરે જૂતાની શું જરૂર' 1 - image


Image Source: Instagram

નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી 2024 મંગળવાર

22 જાન્યુઆરીનો દિવસ અયોધ્યા રામ મંદિરના નામે રહ્યો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર દેશમાંથી ઘણી મોટી હસ્તીઓ પહોંચી. અંબાણીથી લઈને બિરલા સુધી, ફેમસ બિઝનેસ ટાયકૂને સમારોહમાં ભાગ લીધો. હિંદી અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ મોટા સ્ટાર્સ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અયોધ્યા પહોંચ્યા.

બોલીવડુમાંથી સામેલ થનાર સ્ટાર્સની લિસ્ટમાં જેકી શ્રોફનું નામ પણ સામેલ છે. એક્ટર પ્રાણ પ્રતિષ્ઠાથી થોડા દિવસ પહેલા પણ મંદિર પરિસરમાં સાફ-સફાઈ કરતા નજર આવ્યા હતા.

ઉઘાડા પગે અયોધ્યા પહોંચ્યા જેકી શ્રોફ

જેકી શ્રોફ, અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાને લઈને ખૂબ ખુશ નજર આવ્યા. સમારોહમાં જવા દરમિયાન પણ તેમણે કંઈક એવુ કર્યું કે હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. એક્ટર રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા ઉઘાડા પગે પહોંચ્યા.

જેકી શ્રોફની આ વાત દિલ જીતી લેશે

અયોધ્યા રામ જન્મભૂમિથી જેકી શ્રોફના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક્ટર કહેતા નજર આવ્યા કે જો તમામ લોકો અયોધ્યા ઉઘાડા પગે આવત તો એમાં શું, રામના ઘરમાં જૂતાની શું જરૂર છે.

વિવેક ઓબેરોયે શેર કર્યો વીડિયો

અયોધ્યામાં જૈકી શ્રોફની સાથે એક્ટર વિવેક ઓબેરોય પણ પહોંચ્યા હતા. તેમણે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં જેકી શ્રોફનો એક વીડિયો શેર કર્યો છે. વિવેક ઓબેરોયે વીડિયોમાં જણાવ્યુ કે જગ્ગૂ દાદા અયોધ્યા રામ મંદિર જૂતા વિના ગયા હતા અને પાછા પર ઉઘાડા પગે જ આવ્યા છે.

સમારોહમાં સામેલ થયા હતા આ સ્ટાર્સ

જેકી શ્રોફ અને વિવેક ઓબેરોય સિવાય અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, કંગના રનૌત, અનુપમ ખેર, રોહિત શેટ્ટી, કેટરીના કૈફ, વિક્કી કૌશલ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત, શ્રીરામ નેને અને સુભાષ ઘઈ સહિત ઘણા સ્ટાર્સે ભાગ લીધો. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ચિરંજીવી, રજનીકાંત, રામ ચરણ અને સુમન પણ સામેલ થયા હતા. આ સિવાય સિંગર સોનૂ નિગમ, અનુ મલિક અને શંકર મહાદેવન પણ સમારોહમાં સામેલ થયા હતા.


Google NewsGoogle News