'મને તમારાથી ઈર્ષા થાય છે...', સલમાન ખાને મમતા બેનર્જીને આવું શા માટે કહી દીધું, જાણો શું હતી વાત
નવી મુંબઇ,તા. 6 ડિસેમ્બર 2023, બુધવાર
કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023ની શરૂઆત 5મી ડિસેમ્બરે થઈ છે. આ ફેસ્ટિવલ 5 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં ભારતથી લઈને રોમાનિયા, મેક્સિકો, જર્મની, ફ્રાન્સ સહિત બાંગ્લાદેશ અને કઝાકિસ્તાનની ફિલ્મો પણ બતાવવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલના ઓપનિંગ સેરેમનીમાં સલમાન ખાન બ્લેક પેન્ટ સૂટમાં પહોંચ્યો હતો. જેની કેટલીક તસવીરો પણ એક્ટરે ઇન્સ્ટા સ્ટોરીમા શેર કરી હતી.
આ ફેસ્ટિવલમાં સલમાન ખાને યાદ કર્યું કે, તે શહેરની લાસ્ટ ટુર પર કાલીઘાટ વિસ્તારમાં મમતા બેનર્જીના ઘરે ગયા હતા. ફેસ્ટિવલને સંબોધિત કરતાં ભાઇજાને કહ્યું કે, જ્યારે મને દીદીએ તેમના ઘરે આવવા માટે આમંત્રણ આપ્યુ ત્યારે મને ખરેખર જોવુ હતુ કે, તેમનું ઘર વાસ્તમાં નાનુ છે, તેમનું ઘર મારા ઘર કરતાં નાનું છે?
શત્રુ સર મારા ઘરે આવ્યા ત્યારે સમસ્યા હતી કે, મારા ઘરમાં બેસવાની પણ જગ્યાન નહોતી. કારણ કે, એક નાનું રસોઇઘર, એક બેડરૂમ અને રૂમ છે.
સલમાન ખાને કહ્યું, કે મને એ વાતથી જલન થાય છે કે, તેમનું ઘર મારા ઘર કરતાં પણ નાનું છે તેમજ મને આ વાત પર ઇર્ષા થાય છે કે, આ પદ પર પર બેઠેલી વ્યક્તિનું ઘર મારા કરતાં આટલું નાનુ કઇ રીતે હોઇ શકે છે? મને નાના ઘરની ચાહત નથી પરંતૂ તેમણે મને એક કોમ્પ્લેક્સ આપ્યુ છે, આ દર્શાવે છેકે, લોકો કેટલા સરળ અને આપણને એટલી જરુરત નથી.
નો એન્ટ્રી ની મુલાકાત પર કરી ચર્ચા
તેમણે કહ્યું કે 'એક દિવસ અનિલ કપૂરે મને તેના ઘરે બોલાવ્યો. સૌથી પહેલાં મને ગ્રાઉન્ડ ફ્લોર બતાવ્યું, ત્યારે મને લાગ્યું કે, અહીં રહેતા હશે પછી તેમણે મને કહ્યું કે, ચાલો પહેલા માળે જઈએ, મને લાગ્યું કે તે ત્યાં રહેતો હશે. પછી, બીજું, ત્રીજું, ચોથું… તેની પાસે પાંચમો ફ્લોર અને હવે મારી પાસે આનાથી પણ મોટું છે. મેં તેમને પૂછ્યું, કે શું તમે મને ઈર્ષ્યા કરવા માટે અહીં આવવા કહ્યું હતું?
તેમણે કહ્યું, ના, મને 'નો એન્ટ્રી' નામની ફિલ્મ માટે મદદની જરૂર છે. મેં ફિલ્મ લીધી અને તેણે મને તે પાત્ર માટે કરી. આજે, હું અહીં છું. લોકોને ફિલ્મ પસંદ પડી. સલમાન ખાને કહ્યું, આભાર કપૂર સાહેબ. સુપરસ્ટારે એમ પણ કહ્યું કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ હતો.