શ્રીદેવીની બાયોપિક માટે પતિ બોનીનો સાફ ઈનકાર

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
શ્રીદેવીની બાયોપિક માટે પતિ બોનીનો સાફ ઈનકાર 1 - image


- શ્રીદેવીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું

- શ્રીદેવીની અંગત જિંદગીને જાહેરમાં પ્રદર્શન માટે શેર કરી શકું નહીં તેમ કહી ઈનકાર

મુંબઇ : બોની કપૂરે સ્વર્ગસ્થ પત્ની અને અભિનેત્રી શ્રીદેવી પર બાયોપિક બનાવવાનો કે કોઈને તે બનાવવા માટે મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. તેણે જણાવ્યું છે કે શ્રીદેવીની જિંદગી એ બહુ અંગત બાબત છે અને તેનું જાહેરમાં પ્રદર્શન કરવા દઈ શકું નહીં.  બોનીએ સ્વીકાર્યું હતું કે તેને શ્રીદેવીની બાયોપિક બનાવવા અનેક પ્રસ્તાવ મળ્યા છે. પરંતુ, પોતે તેનો ઈનકાર કર્યો છે. તે પોતે પણ શ્રીદેવીની બાયોપિક બનાવવા માગતો નથી.  બોની કપૂરે કહ્યું હતું કે કેટલાક લોકો જેઓ શ્રીદેવીન ે નજીકથી જાણતા હતા તેઓ પુસ્તક લખી રહ્યા છે. તે માટે ઈન્ટરવ્યૂ પણ લઈ રહ્યા છે. પરંતુ,  પોતે શ્રીદેવીની અંગત જિંદગી જાહેરમાં ચર્ચાય તેની વિરુદ્ધ છે.  બોની અને શ્રીદેવીની પ્રેમ કહાનીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. 

શ્રીદેવીને બોનીએ એક તમિલ ફિલ્મમાં જોઇ હતી ત્યારથી જ તેનાથી અંજાઇ ગયો હતો. પછી ૧૯૮૭માં મિ.ઇન્ડિયા ફિલ્મમાં બોનીએ તેને સાઇન કરીહતી . તે પછી તેમના સંબંધો ગાઢ બન્યા હતા. 

હિંદી સિનેમાની અભિનેત્રી શ્રીદેવીએ લગભગ પોતાની કારકિર્દીના ૫૦ વરસ કેમેરા સામે વિતાવ્યા હતા. તેણે બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી શરૂ કરી હતી. તેમજ તે ભારતનપ્પ્રથમ મહિલા સુપરસ્ટાર બની હતી. જોકે, ૨૦૧૮માં દુબઈમાં તેનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. 


Google NewsGoogle News