સોનાક્ષી-ઝહીરના લગ્ન પર હની સિંહે પણ આપ્યું નિવેદન, કહ્યું- મારા કરિયરમાં ઘણી હેલ્પ કરી હતી

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
સોનાક્ષી-ઝહીરના લગ્ન પર હની સિંહે પણ આપ્યું નિવેદન, કહ્યું- મારા કરિયરમાં ઘણી હેલ્પ કરી હતી 1 - image

Honey Singh on Sonakshi-Zaheer Wedding: બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની ખબરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. પરંતુ આ અંગે હજુ સુધી સોનાક્ષી કે ઝહીર તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની ખબરો પર રોજ અટકળો લગાવવામાં આવી રહી છે. હવે આ અંગે રેપર-સિંગર અને સોનાક્ષી સિન્હાના મિત્ર હની સિંહનું રિએક્શન સામે આવ્યું છે. હની સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સોનાક્ષી-ઝહીરના લગ્નની ખબરો પર મહોર લગાવી છે. 

હની સિંહે સોનાક્ષીના લગ્નની ખબરો પર લગાવી મહોર

રેપર-સિંગર હની સિંહે તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં એક પોસ્ટ કરી છે. જ્યાં હની સિંહે લખ્યું કે, જોકે, હું લંડનમાં ગ્લોરીના પ્રથમ ગીતનું શૂટિંગ કરી રહ્યો છું. પરંતુ હું એ સુનિશ્ચિત કરીશ કે, હું પોતાની બેસ્ટ ફ્રેન્ડ સોનાક્ષીના લગ્નમાં સામેલ થાઉં. કારણ કે, તે મારા કરિયરમાં મોટો સપોર્ટ રહી છે અને તેણે મારા જીવનમાં પણ અનેક વખત મારી મદદ કરી છે. પાવર કપલ સોના અને ઝહીરને શુભકામનાઓ. ભોલેનાથ તમારા પર કૃપા વરસાવે. 

સોનાક્ષી સિન્હા 23 જૂને કરશે લગ્ન

એક અહેવાલ પ્રમાણે સોનાક્ષી સિન્હા 23 જૂનના રોજ મુંબઈમાં ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. સોનાક્ષી સિંહાના લગ્નના સમાચાર પર થોડા દિવસો પહેલા એક્ટ્રેસના પિતા અને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ પણ પ્રતિક્રિયા આપી હતી. શત્રુઘ્ને કહ્યું હતું કે, જો મારી દીકરીના લગ્ન કરી રહી છે તો હું તેને મારા આશીર્વાદ આપીશ અને તેના નિર્ણયનું સમર્થન કરીશ. સોનાક્ષીને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે અને હું તેના લગ્નના દિવસે સૌથી ખુશ પિતા બનીશ.


Google NewsGoogle News