વેન્ટિલેટર પર છે દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રી, બહેને ફેન્સને પ્રાર્થના કરવા કરી અપીલ

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
વેન્ટિલેટર પર છે દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રી, બહેને ફેન્સને પ્રાર્થના કરવા કરી અપીલ 1 - image


Image Source: Facebook

મુંબઈ, તા. 18 માર્ચ 2024 સોમવાર

સાઉથની ફેમસ એક્ટ્રેસ અરુંધતિ નાયર જીવન અને મોત વચ્ચે યુદ્ધ લડી રહી છે. એક્ટ્રેસ કેરળના કોવલમમાં બાઈક અકસ્માતનો ભોગ બની હતી. અરુંધતિનો અકસ્માત 14 માર્ચે થયો હતો જે બાદથી તેમની સારવાર તિરુવનંતપુરમના હોસ્પિટલમાં ચાલી રહી છે. અરુંધતિની બહેન અરથી નાયરે આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યુ કે તેમના માથા પર ગંભીર ઈજા પહોંચી છે. જેના કારણે તેમની હાલત ગંભીર છે.

અરથીએ પોસ્ટ શેર કરી શું લખ્યુ

અરથીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની બહેનના અકસ્માતના સમાચારની પુષ્ટિ કરી. અરથીએ પોસ્ટ શેર કરી જેમાં લખ્યુ હતુ મને તમિલનાડુના સમાચાર અને ટેલિવિઝન ચેનલોમાં આવેલા સમાચાર પર સ્પષ્ટીકરણ આપવાની જરૂર અનુભવાઈ. આ સત્ય છે કે મારી બહેન અરુંધતિ નાયરનો 3 દિવસ પહેલા અકસ્માત થયો હતો. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને તિરુવનંતપુરમના અનંતપુરી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે અને જીવન માટે સંઘર્ષ કરી રહી છે.

બહેને પ્રાર્થના કરવા કરી અપીલ

અકસ્માત બાદથી એક્ટ્રેસની હાલત નાજુક છે. તેથી અરુંધતિની બહેને પોસ્ટ શેર કરીને તેમના ચાહકોને બહેન માટે પ્રાર્થના કરવાની અપીલ કરી. અરથીની પોસ્ટ પર કમેન્ટ કરતા એક ચાહકે લખ્યુ કે અમારી પ્રાર્થના તમારી સાથે છે. ભગવાન તેમને ઝડપથી સાજા કરે.

ફિલ્મ ઓટ્ટાકેરુ કામુકનથી કર્યું હતુ ડેબ્યૂ

અરુંધતિએ ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2014માં તમિલ ફિલ્મ 'પોંગી એઝુ મનોહરા'થી કરી. જે બાદ તેમણે 2018માં ફિલ્મ ઓટ્ટાકોરુ કામુકનથી મલયાલમ ફિલ્મોથી ડેબ્યૂ કર્યુ. અરુંધતિ 2019-20 સુધી મલયાલમ ટીવી શો નો ભાગ રહી. આ શો નું નામ કેરળ સમાજમ હતુ. એક્ટ્રેસને અંતિમ વખતે 2023માં રિલીઝ થયેલી ફિલ્મ આયિરમ પોરકાસુકલમાં જોવામાં આવ્યા હતા.


Google NewsGoogle News