જાણીતી અભિનેત્રીએ 'એનિમલ'ના રણબીરને મૂર્ખ ગણાવ્યો, મહિલાઓને આપી સલાહ, ફેન્સ અચંબામાં

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
જાણીતી અભિનેત્રીએ 'એનિમલ'ના રણબીરને મૂર્ખ ગણાવ્યો, મહિલાઓને આપી સલાહ, ફેન્સ અચંબામાં 1 - image
Image Twitter 


Rashmika Mandana:  રશ્મિકા મંદાના અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે વાતચીત કરતી રહે છે. અભિનેત્રીએ હવે તેની અગાઉની રિલીઝ ‘એનિમલ’માં ગીતાંજલિના પાત્ર પર આધારિત પ્રશંસકની એક ટિપ્પણીનો જવાબ આપ્યો છે. આ ફિલ્મમાં તેણે રણબીર કપૂરના પાત્ર રણવિજયની પત્નીની ભૂમિકા ભજવી હતી. રશ્મિકાએ તેના ચાહકોને પણ મૂર્ખ પુરુષોનો શિકાર  નહીં બનવાની વિનંતી કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર એક ચાહકે ફિલ્મ ‘એનિમલ’નો એક એડિટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં રશ્મિકાના પાત્ર પ્રત્યે વફાદાર માનાતા માણસ પર વિશ્વાસ કર્યા પછી દુઃખી થતી જોવા મળે છે. ટૂંકમાં આ વીડિયોમાં એવું કહેવાયું છે કે, ‘એનિમલ’માં ગીતાંજલિ રણવિજયની પત્ની હતી. જે તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. આમ છતાં તે બીજી સ્ત્રી ઝોયા (તૃપ્તિ ડિમરી) ના પ્રેમમાં પડ્યો. આ વિશે ગીતાંજલિને ખબર પડે છે ત્યારે તે ખૂબ જ દુ:ખી થાય છે.

પ્રશંકરે આ વીડિયો શૅર કર્યો અને લખ્યું કે, યાદ રાખો કે માણસ પર વિશ્વાસ કરવા કરતા ડરામણી બાબત કંઈ નથી. આ વીડિયોએ રશ્મિકાનું ધ્યાન ખેંચ્યું અને અભિનેત્રીએ તેના પર પ્રતિક્રિયા આપતા પોતાને રોકી શકી નહીં. રશ્મિકાએ લખ્યું, મૂર્ખ વ્યક્તિ પર વિશ્વાસ કરવો ડરામણો હોઈ શકે છે, પરંતુ આ દુનિયામાં ઘણાં સારા લોકો છે. 

રશ્મિકાએ ‘એનિમલ’માં ગીતાંજલિના તેના પાત્રનું વર્ણન કરતી એક લાંબી પોસ્ટમાં લખ્યું હતું કે ‘તમામ હિંસા, દુઃખ અને અસહ્ય પીડાથી ભરેલી દુનિયામાં ગીતાંજલિ શાંતિ, વિશ્વાસ લાવશે. તે તેના ભગવાનને પ્રાર્થના કરશે કે તેનો પતિ અને તેના બાળકો સુરક્ષિત રહે તે અડગ હતી, જેણે તમામ તોફાનોનો સામનો કર્યો. તેણી તેના પરિવારના ભલા માટે તેની શક્તિમાં કંઈ પણ કરશે. મારી દ્રષ્ટિએ ગીતાંજલિ સુંદર છે અને અમુક રીતે તે મોટાભાગની સ્ત્રીઓ જેવી છે, જે મજબૂત રીતે ઊભા રહીને દિવસ રાત પોતાના પરિવારનું રક્ષણ કરે છે.’



Google NewsGoogle News