જાહ્નવી કપૂરે ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર વિશે કહી એવી વાત કે, સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા

Updated: May 25th, 2024


Google NewsGoogle News
જાહ્નવી કપૂરે ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર વિશે કહી એવી વાત કે, સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા 1 - image


Image: Facebook

Mr. & Mrs. Mahi: જાહ્નવી કપૂર ટૂંક સમયમાં જ રાજકુમાર રાવની સાથે પોતાની આગામી ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' લઈને આવી રહી છે. જેના પ્રમોશનમાં અત્યારે બંને સ્ટાર વ્યસ્ત છે. આમ તો કોઈ પણ ફિલ્મ પ્રમોશન દરમિયાન એક્ટર્સ જ્યાં પણ જાય છે ઘણી વખત પોતાની ફિલ્મ કે પછી પર્સનલ લાઈફ સાથે જોડાયેલા મજેદાર કિસ્સા શેર કર્યા કરે છે. આ વખતે જાહ્નવી કપૂરે જે કંઈ કહ્યું છે તે સાંભળનારને ચોંકાવી રહ્યું છે. જાહ્નવી કપૂરે દલિત સમાજ, ગાંધી અને ભીમરાવ આંબેડકર જેવા મુદ્દા પર જે કંઈ કહ્યું છે, તેને સાંભળીને ચાહકો ચોંકી ગયા છે.

જાહ્નવી કપૂરે કહ્યું કે મને લાગે છે કે આંબેડકર અને ગાંધીની વચ્ચે ડિબેટ જોવી ખૂબ મજેદાર હશે. ગાંધી અને આંબેડકરના વ્યૂઝ ખૂબ અલગ હતા. મને લાગે છે કે આંબેડકર શરૂઆતથી જ ખૂબ ક્લિયર અને મજબૂત હતા પરંતુ ગાંધીના વ્યૂ વિકસિત થતા રહે છે. જાતિવાદની જે સમસ્યા આપણા સમાજમાં છે તેના વિશે એક થર્ડ પર્સન પોઈન્ટ ઓફ વ્યૂથી જાણકારી મેળવવી અને તેને જીવવામાં ખૂબ ફરક છે, ખૂબ અંતર છે. 

સ્કુલ અને ઘરમાં ક્યારેય આવી વાત થઈ નથી

જાહ્નવીએ કહ્યું, મારી સ્કુલમાં કે મારા ઘરમાં ક્યારેય કાસ્ટને લઈને કોઈ વાતચીત થઈ નથી.

યુઝર્સ જાહ્નવીને બ્યૂટી વિથ બ્રેઈન ગણાવી રહ્યા છે

ગાંધી અને આંબેડકર જેવા મોટા મુદ્દા પર જાહ્નવી કપૂરને વાત કરતી જોઈને હવે લોકો પણ પોતાના વિચાર મૂકી રહ્યા છે. લોકોએ કહ્યું તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે જાહ્નવી આ લેવલની વાત કરશે. હવે યુઝર્સ જાહ્નવીને બ્યૂટી વિથ બ્રેઈન ગણાવી રહ્યા છે અને તેમના વખાણ કરતા થાકતા નથી. 

31 મે એ રિલીઝ થઈ રહી છે જાહ્નવી અને રાજકુમાર રાવની આ ફિલ્મ

જાહ્નવી કપૂરની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી આ મહિનાના અંતમાં 31 મે એ રિલીઝ થવાની છે. શરણ શર્માના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં જાહ્નવીની જોડી રાજકુમાર રાવની સાથે નજર આવવાની છે. 


Google NewsGoogle News