અણબનાવ નહીં પણ જ્યોતિષના કારણે દિવ્યાએ અટક દૂર કરી

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
અણબનાવ નહીં પણ જ્યોતિષના કારણે દિવ્યાએ અટક દૂર કરી 1 - image


- છૂટાછેડાની અફવા બાદ ટી સીરીઝનો  ખુલાસો

- દિવ્યા ભૂષણ કુમારના પર્સનલ એકાઉન્ટને હજુ ફોલો કરે જ છે તેવી પણ સ્પષ્ટતા

મુંબઇ : દિવ્યા કુમાર ખોસલાએ તેના નામમાંથી કુમાર અટક દૂર કરી છે તેનું કારણ જ્યોતિષની સલાહ છે. બાકી તેના અને પતિ ભૂષણ કુમાર વચ્ચે કોઈ અણબનાવ નથી તેવો ખુલાસો ભૂષણ કુમારની કંપની ટી સીરીઝ દ્વારા અપાયો છે. 

દિવ્યાએ તેના નામમાંથી કુમાર અટક દૂર કરતાં અને ટી સીરીઝનાં સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ અનફોલો કરતાં બંને વચ્ચે અણબનાવ સર્જાયો હોવાની વાત ચગી છે. 

કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરાયો હતો કે ૧૮ વર્ષનાં લગ્નજીવન બાદ બંને કદાચ છૂટાછેડા પણ લઈ શકે છે. 

આ અફવા આગની જેમ ફેલાઈ જતાં આખરે ટી સીરીઝ કંપની ઉપરાંત દિવ્યાની ટીમ દ્વારા પણ ખુલાસો અપાયો હતો. તેમની સ્પષ્ટતા અનુસાર પોતાના નામમાંથી અટક દૂર કરવાનો નિર્ણય દિવ્યાએ જ્યોતિષની સલાહ અનુસાર લીધો છે. આ તેનો અંગત નિર્ણય છે અને સૌએ તેનું સન્માન જાળવવું જોઈએ. 


Google NewsGoogle News