દીપિકા ચિખલિયા પર તૂટ્યો દુખનો પહાડ,શેર કરી ઇમોશનલ પોસ્ટ

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
દીપિકા ચિખલિયા પર તૂટ્યો દુખનો પહાડ,શેર કરી ઇમોશનલ પોસ્ટ 1 - image


નવી મુંબઇ,તા. 10 ફેબ્રુઆરી 2024, શનિવાર 

રામાનંદ સાગરની રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયાની ઈમોશનલ પોસ્ટે ચાહકોને પણ દુખી કરી દીધા છે. મળતી માહિતી પ્રમાણે, એકટ્રેસના ઘરે જે પાલતુ ડોગ હતો તેનું નિધન થયુ છે જેના કારણે એકટ્રેસ દુખી છે અને ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ પોતાના ડોગના નામે શેર કરી છે. 

અભિનેત્રી દીપિકાએ પોતાના શ્વાનની તસવીરો શેર કરતા ભાવુક પોસ્ટ લખી હતી કે, 13 વર્ષ બાદ તેનો કૂતરો તેને હંમેશા માટે છોડી ગયો છે. અભિનેત્રીએ પોસ્ટ શેર કરતી વખતે લખ્યું કે, હવે તેમનું ઘરે પરત જવુ પણ પહેલા જેવુ નહીં રહે. દીપિકાએ આગળ લખ્યું કે, તે તેના ડોગ ગોલ્ડન બોયને ખૂબ મિસ કરી રહી છે. 

અભિનેત્રીની આ પોસ્ટ પર,ચાહકો તેને પોતાનું ધ્યાન રાખવાનું કહી રહ્યા છે અને તેના શ્વાનની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

રામલલા પ્રાણ પ્રતિષ્ઠા

દીપિકાએ થોડા દિવસો પહેલા રામલલાના અભિષેક સમારોહમાં હાજરી આપી હતી. તેમના રામાયણ શોના સહ કલાકારો અરુણ ગોવિલ અને સુનીલ લાહિરી પણ તેમની સાથે હાજર હતા. ત્રણેયને એકસાથે જોઈને બધા ખૂબ ખુશ થયા. આટલું જ નહીં, ત્રણેએ સાથે મળીને હમારે રામ આયેંગે નામનું મ્યુઝિક આલ્બમ પણ શૂટ કર્યું હતું.

વર્ક ફ્ર્ન્ટની વાત કરીએ તો,હાલમાં એકટ્રેસ તેના નવા શો ધરતીપુત્ર નંદિનીમાં વ્યસ્ત છે. આ ફેમિલી ડ્રામામાં દીપિકા મહત્વની ભૂમિકા ભજવી રહી છે. 


Google NewsGoogle News