કોણ હતા અમર સિંહ ચમકીલા, જેમની જાહેરમાં હત્યા કરાઈ હતી?, દિલજીત દોસાંજ નિભાવી રહ્યો છે તેમની ભૂમિકા

દિલજીતસિંહ દોસાંઝની આવનારી ફિલ્મ 'ચમકીલા' અમરસિંહની સ્ટોરી પર આધારિત છે

માત્ર 27 વર્ષની ઉંમરમાં અમર સિંહની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
કોણ હતા અમર સિંહ ચમકીલા, જેમની જાહેરમાં હત્યા કરાઈ હતી?, દિલજીત દોસાંજ નિભાવી રહ્યો છે તેમની ભૂમિકા 1 - image
Image Twitter 

Amar Singh Chamkila, Diljit Dosanjh: હાલમાં દિલજીતસિંહ દોસાંઝ તેની આવનારી ફિલ્મ ‘ચમકીલા’ ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. ફેન્સની એક્સાઈમેન્ટને જોતા મેકર્સે તેનું પહેલું લુક જાહેર કર્યું છે, જે સોશિયલ મીડિયા પર છવાયેલું છે. 

ફેન્સ 'ચમકીલા' ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શું તમે જાણો છો કે આ ફિલ્મ અમરસિંહ ચમકીલાના જીવન પર આધારિત છે. હા, બિલકુલ સાચી વાત છે દિલજીતસિંહ દોસાંઝની આવનારી ફિલ્મ 'ચમકીલા' અમરસિંહની સ્ટોરી પર આધારિત છે. આવો જાણીએ કે આખરે કોણ હતા અમરસિંહ ચમકીલા..?

અમર સિંહના શો માત્ર પંજાબમાં જ નહીં પરંતુ દેશભરમાં થતા હતાં

ફિલ્મ 'ચમકિલા'ને ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ મશહૂર પંજાબી સિંગર અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત છે. એવું કહેવાય છે કે, અમર સિંહનું પંજાબ પર રાજ હતું. મોટી સંખ્યામાં તેને ફોલોઈંગ કરતાં ચાહકો હતા અને તેના શોમાં મોટી સંખ્યામાં ચાહકો આવતા હતા. અમર સિંહના શો માત્ર પંજાબમાં જ નહીં પરંતુ દેશના અલગ- અલગ રાજ્યોમાં પણ યોજાતા હતા.

કોણ હતા અમર સિંહ ચમકીલા?

અમર સિંહ ચમકીલા એક  પ્રખ્યાત પંજાબી લોકગાયક અને ગીતકાર હતા. તેમનો જન્મ 21 જુલાઈ 1960ના રોજ થયો હતો. તેમના ગીતો ગ્રામીણ જીવન, પ્રેમ, દુ:ખ અને સામાજિક મુદ્દાઓ પર આધારિત હતા. અમર સિંહ ચમકીલાએ 1980ના દાયકામાં પોતાના ગીતો અને સંગીતથી એક ખાસ ઓળખ ઊભી કરી હતી. તેઓ પંજાબના પહેલા રોકસ્ટાર તરીકે ઓળખાય છે, પરંતુ કમનસીબી કે  8 માર્ચ, 1988ના રોજ જ્યારે અમરસિંહ પોતાના પરફોર્મન્સ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. અમર સિંહ અને તેની પત્નીને કેટલાક બાઈક સવારોએ ગોળી મારી નિર્મમતાથી હત્યા દીધી હતી.

27 વર્ષની ઉંમરમાં થઈ હતી હત્યા

તે ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ પોપ્યુલર થઈ ગયા હતાં, પરંતુ માત્ર 27 વર્ષની ઉંમરમાં અમર સિંહની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં જ્યારે તેમની હત્યા કરવામાં આવી ત્યારે તેમની પત્ની અમરજ્યોત પણ તેમની સાથે હતી અને તેની પણ નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અમર સિંહ માત્ર એક ગાયક જ નહીં પરંતુ એક સારા સંગીતકાર, ગીતકાર  પણ હતા.

‘અમર સિંહ ચમકીલા’ થિયેટરોમાં નહીં, પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે

દિલજીતસિંહ દોસાંઝ આ ફિલ્મમાં એક ગાયક તરીકેની ભૂમિકા ભજવતાં જોવા મળશે. પ્રખ્યાત સિંગર અમર સિંહ ચમકીલા પર આધારિત દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરાની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ થિયેટરોમાં નહીં, પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ‘અમર સિંહ ચમકીલા’ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. નેટફ્લિક્સ અને દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો તેમાં કહ્યું છે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર 12 એપ્રિલ, 2024ના રોજ રિલીઝ થશે.



Google NewsGoogle News