સલમાન ખાન, શાહરૂખ ખાનથી લઈને દીપિકા પાદુકોણ સુધી, આ બોલિવૂડ સ્ટાર્સને નથી મળ્યું પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ

અમિતાભ બચ્ચન, રજનીકાંત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કેટરીના કૈફ સહિત ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
સલમાન ખાન, શાહરૂખ ખાનથી લઈને દીપિકા પાદુકોણ સુધી, આ બોલિવૂડ સ્ટાર્સને નથી મળ્યું પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ 1 - image
Image: Social Media

Ram Lalla Pran Pratishtha : અયોધ્યામાં આજે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ સમારોહમાં સામેલ થવા માટે મોટી-મોટી હસ્તીઓ અયોધ્યા પહોંચી રહી છે. નેતાઓથી લઈને બોલિવૂડ સેલેબ્સ દરેક વ્યક્તિ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાક્ષી બનવા ઈચ્છે છે. પરંતુ કેટલાંક બોલિવૂડ સ્ટાર્સ એવા છે જેમને આ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. શાહરૂખ ખાનથી લઈને દીપિકા પાદુકોણ સુધી ઘણાં સેલેબ્સ એવા છે જેમને આમંત્રણ મળ્યું નથી.

શાહરૂખ ખાન

મળેલા અહેવાલો મુજબ શાહરૂખ ખાનને આમંત્રણ પાઠવવામાં આવ્યું ન હતું. આ આમંત્રણ કેમ મોકલવામાં આવ્યું ન હતું તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

સલમાન ખાન

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. સલમાન ઉપરાંત આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

બોલિવૂડના મોસ્ટ રોમેન્ટિક કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી. દીપિકા-રણવીરની સાથે સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ સમારોહમાં હાજરી આપશે નહીં.

સલમાન ખાન, શાહરૂખ ખાનથી લઈને દીપિકા પાદુકોણ સુધી, આ બોલિવૂડ સ્ટાર્સને નથી મળ્યું પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ 2 - image


Google NewsGoogle News