દીપિકા પદુકોણ પુત્રીનો ઉછેર કરવા માટે અભિનયને તિલાંજલી આપે તેવી શક્યતા

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
દીપિકા પદુકોણ પુત્રીનો ઉછેર કરવા માટે અભિનયને તિલાંજલી આપે તેવી શક્યતા 1 - image


- ઐશ્વર્યા રાયની માફક પુત્રીની સાર-સંભાળ આયા વગર જ કરે તેવી ચર્ચા

મુંબઇ : માતા બનવાની સાથે જ દીપિકા પદુકોણે એકટિંગ  છોડવાનો ફેંસલો કર્યા હોય તેમ જણાય છે. અભિનેત્રીએ પોતાની પુત્રીના ઉછેર માટે આયાની મદદ લીધા વિના પોતે જ કરવાનો નિર્ણય લીધો હોવાથી લોકો અનુમાન કરી રહ્યા છે કે, અભિનેત્રી અભિનયને તિલાંજલી આપી દેશે. ઐશ્વર્યા રાયે પણ આરાધ્યાના જન્મ પછી એકટિંગ છોડી દીધી હતી અને દીકરીના ઉછેર પર ધ્યાન આપ્યું હતું અને હજી પણ આપી રહી છે. જોકે આ બાબતે સમર્થન મળ્યું નથી. દીપિકા હાલપોતાની પુત્રીને મીડિયાથી દૂર રાખે છે અને તેણે પાપારાઝીઓને પણ વિનંતી કરી છે કે તેની લાડલીની કોઇ તસવીર લેવામાં ન આવે. 

ઘણા મીડિયા રિપોર્ટસનો દાવો છે કે, દીપિકા પદુકોણ પોતાની પુત્રીની પરવરિશ માટે ઐશ્વર્યા રાયને ફોલો કરી શકે છે. ઐશ્વર્યાએ પોતે જ પોતાની પુત્રી આરાધ્યાનું પાલન-પોષણ કર્યું છે. તેણે આયાની કોઇ મદદ લીધી ન હતી.એવામાં દાવો કરવામાં આવે છેકે,દીપિકા પણ પોતાની લાડલી માટે નૈની નહીં રાખે અને તે જતેનું પાલન-પોષણ કરશે. ઉલ્લેખનીય છે કે, આરાધ્યા માટે ઐશ્વર્યા રાયની પઝેસિવનેસને જોઇને સાસુ જયા બચ્ચને તેને હૈડસ ઓન મોમનો ટેગ પણ આપ્યો હતો. 

જો મીડિયા રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા સાચા હોય તો અટકળ લગાડવામાં આવી રહી છે કે, દીપિકા પદુકોણ પોતાની પુત્રીના ઉછેર માટે ફિલ્મની દુનિયાથી દૂર થઇ શકે છે.


Google NewsGoogle News