બોની કપૂર અને તેની પુત્રીઓ જાહ્નવી અને ખુશીએ મુંબઇના ચાર ફ્લેટસનું વેચાણ કર્યું

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
બોની કપૂર અને તેની પુત્રીઓ જાહ્નવી અને ખુશીએ મુંબઇના ચાર ફ્લેટસનું વેચાણ કર્યું 1 - image


- અંધેરીના લોખંડવાલા કોમ્પલેક્સના આ ચાર ફ્લેટ રૂપિયા ૧૨ કરોડમાં વેચ્યા

મુંબઇ: નિર્માતા બોની કપૂર અને તેની પુત્રીઓ જાહ્નવી  અને ખુશી કપૂરે એક સાથે ચાર ફ્લેટ વેંચી નાખ્યા છે. તેમના આ ચાર ફ્લેટસ મુંબઇના અંધેરીના લોખંડવાલા કોમ્પલેક્સમાં આવેલા હતા અને તેનો સોદો તેમણે ૧૨ કરોડ રૂપિયામાં કર્યો છે. 

પહેલો સોદો ૧૨ ઓકટોબર, ૨૦૨૩ના રોજ રજિસ્ટર્ડ થયો હતો. આ  બન્ને ફ્લેટસ ૧૬૧૪ સ્કે. ફૂટના એરિયામાં ફેલાયલા હતા. સાથે બે કાર પાર્કિંગની સગવડ પણ હતી. 

બીજા સોદાનું રજિસટ્રેશન નવેમ્બર ૨, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું.બિલ્ડિંગના પ્રથમ માળે આ બન્ને ફ્લેટ આવેલા હતા. જે ૧૮૭૦ સ્કે, ફૂટ એરિયામાં ફેલાયેલા હતા. આ ફ્લેટસનું વેંચાણ રૂપિયા ૬.૦૨ કરોડમાં કરવામાં આવ્યું હતું.આ ફ્લેટની ડીલ પણ કાર પાર્કિંગની સગવડ સાથે જ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, બોની, જાહ્નવી અને ખુશીએ ૨૦૨૨માં  બાંદરામાં એક ડુપ્લેકસ એપાર્ટમેન્ટ રૂપિયા ૬૫ કરોડમાર્ખરીદ્યો હતો. 


Google NewsGoogle News