કાર્તિક આર્યનની આશિકી 3 ફિલ્મ બસેરાની રીમેક હોવાનો ભૂષણકુમારનો ઇન્કાર

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
કાર્તિક આર્યનની આશિકી 3 ફિલ્મ બસેરાની રીમેક હોવાનો ભૂષણકુમારનો ઇન્કાર 1 - image


- નિર્માતાને સ્વ. રમેશ બહલના પરિવારે નોટીસ ફટકારી

મુંબઇ : કાર્તિક આર્યનની ફિલ્મ આશિકી ૩ ઘોંચમાં પડી હોવાનો રિપોર્ટ છે. સ્વ. ફિલ્મ નિર્માતા રમેશ બહેલના પરિવારે આશિકી ૩ના નિર્માતા ટી સીરીઝના ભૂષણ કુમારને નોટીસ ફટકારી છે. જોકે ભૂષણ કુમારે આશિકી ૩ ફિલ્મ બસેરાની રીમેક હોવાનો ઇન્કાર કર્યો છે. 

એક રિપોર્ટના અનુસાર, ૧૯૮૧માં રમેશ બહેલની એક ફિલ્મ બસેરા રિલીઝ થઇ હતી. જેમાં શશિ કપૂર, રેખા અને રાખીએ ભૂમિકા ભજવી હતી. હવે સ્વ. રમેશબહેલના પરિવારે ટી સીરીઝને નોટિસ પાઠવીને કહ્યું છે કે,  મીડિયામાં ચર્ચા છે કે, આશિકી ૩ની વાર્તા ફિલ્મ બસેરાની વાર્તા પર આધિરત છે. તેથી 

આશિકી ૩ માટે ફિલ્મસર્જક બસેરા ફિલ્મનો પ્લોટ, કેરેકેટર અછવા આઇપીઆર મટિરિયલનો ઉપયોગ પરવાનગી વગર કરી શકશે નહીં. બસેરાના સઘળા લીગલ રાઇટ્સ અમારી પાસે છે. જોકે બહલના પરિવારની આ નોટીસનો ટી સીરીઝે કોઇ ઉત્તર આપ્યો નથી. 

જોકે નિર્માતા ભુષણકુમારે આ વાતને પાયાવિહોણી જણાવીને બસેરાની રીમેક હોવાનો ઈન્કાર કર્યો છે.


Google NewsGoogle News