બોર્ડર ટૂ ફિલ્મમાંથી આયુષમાન ખુરાનાની એક્ઝિટ થઈ ગઈ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
બોર્ડર ટૂ  ફિલ્મમાંથી આયુષમાન ખુરાનાની એક્ઝિટ થઈ ગઈ 1 - image


- સની દેઓલ કરતાં ગૌણ પાત્ર મળતાં નિર્ણય

- ફિલ્મના વધુ કલાકારોની જાહેરાત એક મેગા ઈવેન્ટમાં કરવામાં આવશે

મુંબઇ : સની દેઓલની ફિલ્મ 'બોર્ડર ટૂ'માંથી આયુષમાન ખુરાનાની એક્ઝિટ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ કરતાં ગૌણ પાત્ર મળતાં આયુષમાને આ ફિલમ છોડી દીધી હોવાનું કહેવાય છે. 

જોકે, ફિલ્મની ટીમના જણાવ્યા અનુસાર આયુષમાને ફિલ્મ વિધિવત્ત સાઈન કરી જ ન હતી. તેની સાથે માત્ર ચર્ચા થઈ હતી આ ચર્ચા દરમિયાન જ આયુષમાને ફિલ્મમાં કામ નહીં કરવાનું નક્કી કર્યું હતું આયુષમાને ઓછાં મહત્વનાં પાત્રને કારણે ફિલ્મ છોડી દીધી હોવાનો પણ ઈનકાર કરવામાં આવ્યો છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર 'બોર્ડર'ની જેમ 'બોર્ડર ટૂ'માં પણ સૈન્યના એક મોટાં જૂથના પરાક્રમો દર્શાવવામાં આવશે. તેમાં કોઈ એક પાત્ર મુખ્ય હોય તેવું નહીં બને. દરેક પાત્ર કોઈને કોઈ રીતે મહત્વનું હશે. ફિલ્મમાં અગાઉ દિલજીત દોસાંજને પણ સાઈન કરવામાં આવ્યો હોવાના અહેવાલ હતા. 

દરમિયાન કાસ્ટિંગ વિશેની તમામ અટકળોનો અંત લાવવા માટે ફિલ્મના  સર્જકો  દ્વારા એક મેગા ઈવેન્ટ પ્લાન થઈ રહી છે. તેમાં અન્ય કલાકારોની જાહેરાત કરાશે .


Google NewsGoogle News