રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે બૉલીવુડ અને ટીવી જગતના આ સ્ટાર્સ, જુઓ લિસ્ટ

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે બૉલીવુડ અને ટીવી જગતના આ સ્ટાર્સ, જુઓ લિસ્ટ 1 - image


નવી મુંબઇ,તા. 9 જાન્યુઆરી 2024, મંગળવાર 

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ રાખવામાં આવ્યો છે. રામ મંદિરના અભિષેકની વિધિ ખૂબ જ ભવ્ય થવા જઈ રહી છે. આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે ફિલ્મ જગતના ઘણા મોટા સ્ટાર્સ હાજરી આપવાના છે.22મી જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે રામલલ્લા ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે બોલિવૂડ અને સાઉથથી લઈને ટીવી જગતના સેલેબ્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. તો જાણીએ કયા કયા સ્ટાર્સ બનશે આ ઐતિહાસિક ક્ષણનો ભાગ... 

કંગના રનૌત

એકટ્રેસે ખુદ સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી હતી કે, તે અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. 

અનુપમ ખેર

અનુપમ ખેરને અયોધ્યા રામ મંદિરમાં રામ લાલાના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

અમિતાભ બચ્ચન

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે બૉલીવુડ અને ટીવી જગતના આ સ્ટાર્સ, જુઓ લિસ્ટ 2 - image

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ આ ભવ્ય સમારોહમાં હાજર રહેવા આપવાનું આમંત્રણ મળ્યું છે.

ટાઇગર શ્રોફ

જેકી શ્રોફ અને તેમના પુત્ર બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળ્યું છે.

આલિયા ભટ્ટ-રણબીર કપૂર

બોલિવૂડનું સુપરહિટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ આ ભવ્ય સમારોહના સાક્ષી બની શકે છે. રણદીપ હુડ્ડાનું નામ પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે. તે પણ આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

માધુરી દીક્ષિત, અજય દેવગણ જેવા સ્ટાર્સ 

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આ ભવ્ય સમારોહમાં બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પણ ભાગ લેશે.આ સિવાય બોલિવૂડના સિંઘમ અજય દેવગનને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેનું કાર્ડ મોકલવામાં આવ્યું છે. બોબી દેઓલ પણ જોડાઈ શકે છે.

સાઉથના સ્ટાર્સને પણ આમંત્રણ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે બૉલીવુડ અને ટીવી જગતના આ સ્ટાર્સ, જુઓ લિસ્ટ 3 - image

ઘણા સ્ટાર્સને સાઉથમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રજનીકાંત ઉપરાંત KGF સ્ટાર યશ, ધનુષ, સાઉથ સ્ટાર પ્રભાસ પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લઈ શકે છે.

ટીવીના રામ-સીતા 

ટીવી જગતના લોકપ્રિય રામાયણ સિરીયલના રામ અને સીતા પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે. દીપિકા ચિખલિયા અને અરુણ ગોવિલ પણ આ ભવ્ય સમારોહમાં હાજરી આપશે. આ સિવાય 4000 સાધુ-સંતો સહિત દેશભરમાંથી લગભગ 7000 મહેમાનોને પણ આ શુભ અવસર માટે આમંત્રણ મળ્યું છે.


Google NewsGoogle News