એટલી કુમારે કર્યું મોટું એલાન, 'હું જવાનની સીક્વલ બનાવીશ અને થલપતિ વિજયનો હશે કેમિયો'

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
એટલી કુમારે કર્યું મોટું એલાન, 'હું જવાનની સીક્વલ બનાવીશ અને થલપતિ વિજયનો હશે કેમિયો' 1 - image


Image Source: Twitter

- હું શાહરૂખ અને વિજય માટે અલગથી કંઈક લખીશ: એટલી

નવી દિલ્હી, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનો ડંકો હાલમાં આખા વિશ્વમાં વાગી રહ્યો છે. આ ફિલ્મે માત્ર 10 દિવસમાં જ વર્લ્ડવાઈડ 700 કરોડથી વધુનો બિઝનેસ કરી નાખ્યો છે. હાલમાં જવાનની આખી ટીમ ફિલ્મના સક્સેસને એન્જોય કરી રહી છે. આવી સ્થિતિમાં જવાનના ડાયરેક્ટર એટલી કુમાર ખૂબ જ ખુશ છે. આ વચ્ચે હવે એટલીએ ચાહકોને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. જેને જાણીને શાહરૂખના ચાહકો ખુશીથી નાચી ઉઠશે. એટલીએ જવાનની તાબડતોડ સક્સેસ બાદ ફિલ્મના સીક્વલ પર મોટી અપડેટ આપી દીધી છે. એટલીએ કહ્યું કે, તેમણે આજ સુધી પોતાની કોઈ પણ મૂવીની સીક્વલ નથી બનાવી પરંતુ તેઓ આજે નહીં તો કાલે જવાનનો બીજો ભાગ લઈને આવશે.

જવાનના સીક્વલ પર એટલીએ આપી મોટી અપડેટ

ડાયરેક્ટર એટલીએ હાલમાં જ પોતના એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તેમણે હંમેશાથી જ પોતાની તમામ ફિલ્મોની એન્ડિંગ ઓપન છોડી છે પરંતુ કોઈ પણ ફિલ્મની સીક્વલ નથી બનાવી. આવી સ્થિતિમાં તેમનું કહેવું છે કે, તે જવાનની સીક્વલ બનાવશે. આ વાત ચાહકો માટે મોટી ગુડ ન્યૂઝ છે. એટલીએ કહ્યું કે, જો જવાન માટે કોઈ મજબૂત સ્ટોરી મળી તો તે તેનો પાર્ટ 2 જરૂર બનાવશે. આ ફિલ્મનો એન્ડ પણ ઓપન જ રાખ્યો છે. હું હમણા કે પછી થોડા સમય બાદ જવાનની સીક્વલ જરૂર બનાવીશ.

શાહરૂખ ખાન અને થલપતિ વિજય સાથે બનાવશે ફિલ્મ?

આ દરમિયાન એટલીને જવાનમાં થલપતિ વિજયના કેમિયોને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. એવી ચર્ચા હતી કે, મેગાસ્ટાર થલપતિ વિજય જવાનમાં કેમિયો કરશે પરંતુ તે ફિલ્મમાં જોવા ન મળ્યો.. એટલીએ કહ્યું કે થલપતિ વિજયને ફિલ્મમાં ન લેવા પાછળ એક મોટું કારણ હતું. મેં વિચાર્યું છે કે, હું શાહરૂખ અને વિજય માટે અલગથી કંઈક લખીશ. બંને સ્ટાર્સે મારી કારકિર્દીને નવી ઉડાન આપી છે. 

જવાન બાદ હવે શાહરૂખ તેની ફિલ્મ ડંકી માટે ચર્ચામાં છે. બીજી તરફ તાજેતરમાં જ  શાહરૂખે પોતાની ફિલ્મ ડંકીના રિલીઝનું પણ એલાન કર્યું હતું. તેણે કહ્યું કે તેની ફિલ્મ ડંકી ક્રિસમસ પર રિલીઝ થશે. 


Google NewsGoogle News