'રામાયણ'માં રણબીર કપૂરને 'રામ'નો રોલ મળવા પર અરૂણ ગોવિલે કરી આ વાત

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
'રામાયણ'માં રણબીર કપૂરને 'રામ'નો રોલ મળવા પર અરૂણ ગોવિલે કરી આ વાત 1 - image


નવી મુંબઇ,તા. 12 માર્ચ 2024, મંગળવાર 

નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'ને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ છે. ફિલ્મમાં રણબીર કપૂર શ્રી રામના રોલમાં અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. ત્યારે રણબીરના રામ બનવા પર રામાયણ સીરિયલના જાણીતા રામ એટલે કે અરુણ ગોવિલનું રિએક્શન સામે આવ્યું છે.  

એક ઈન્ટરવ્યૂમાં અરુણ ગોવિલને આ વિશે પૂછવામાં આવ્યું હતું કે, શું રણબીર આ પાત્રને ન્યાય આપી શકશે કે નહીં? આ સવાલનો જવાબ આપતા અરુણ ગોવિલે જવાબ આપ્યો હતો કે, 'રણબીર એક એવોર્ડ વિનિંગ એક્ટર છે, હું તેને જેટલું ઓળખું છું તેટલું તે ખૂબ જ સંસ્કારી છે. જો કે કોઈના વિશે અગાઉથી કંઈ કહી શકાય નહીં. પરંતુ, જ્યાં સુધી રણબીરની વાત છે, તે એક સારો અભિનેતા છે. તેમની અંદર ઘણાં મૂલ્યો છે, સંસ્કૃતિ માટે પ્રેમ છે. મેં તેને ઘણી વખત જોયો છે, મને ખાતરી છે કે તે આ ભૂમિકા કરવા માટે પોતાનું બેસ્ટ આપશે.’ 

મહત્ત્વનું છે કે, નિતેશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ' માટે અત્યાર સુધી ઘણાં સ્ટાર્સના નામ સામે આવ્યા છે. ફિલ્મમાં શ્રી રામના રોલ માટે રણબીર કપૂર અને માતા સીતાના રોલ માટે સાઈ પલ્લવીને ફાઈનલ કરવામાં આવી છે. જ્યારે સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે, લારા દત્તા કૈકેઇ અને યશ રાવણના રોલમાં જોવા મળશે.


Google NewsGoogle News